1989ની ચૂંટણી પહેલાં વિશ્વ હિંદુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે 1 જુલાઈએ ભગવાન રામના મિત્રના રૂપમાં પાંચમો દાવો ફૈઝાબાદની અદાલતમાં કર્યો હતો. આ દાવામાં સ્વીકાર કરવામાં આવ્યો કે 23 ડિસેમ્બર 1949ના રોજ રામ ચબૂતરાની મૂર્તિઓ મસ્જિદની અંદર રાખવામાં આવી છે.
આજે સુપ્રીમ કોર્ટમાં સંભાળાવાશે અયોધ્યા વિવાદ પર નિર્ણય
1 જુલાઈ 1989ના રોજ રામના મિત્રના રૂપમાં કરાયો હતો 5મો દાવો
ફૈઝાબાદની અદાલતમાં કરાયો હતો દાવો
રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ પર થોડી વારમાં એટલે કે 10.30ના સમયે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. અયોધ્યામાં આ વિવાદ સદીઓથી ચાલી રહ્યો છે. આ વિવાદ આજે પૂર્ણ થવાના આરે છે. હાઈકોર્ટ અનેક મામલે ચુકાદો આપી ચૂકી છે પણ આ કેસ ખાસ છે કારણ કે અહીં ફરિયાદી પોતે ભગવાન છે.
આ કારણે થયું હતું બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિનું ગઠન
તમને જણાવી દઈએ કે 1986માં એક સ્થાનીય વકીલ અને પત્રકાર ઉમેશ ચંદ્ર પાંડેયની અપીલ પર ફૈઝાબાદના તત્કાલીન જિલ્લા જજ કૃષ્ણમોહન પાંડેયને 1 ફેબ્રુઆરી 1986ના રોજ વિવાદિત પરિસરનું તાળું ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશનો વિરોદ કરવામાં આવ્યો. મુસ્લિમોએ તેને એકતરફી નિર્ણય ગણાવ્યો. તેની પ્રતિક્રિયા રૂપે ફેબ્રુઆરી 1986માં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિની રચના થઈ અને મુસ્લિમ સમુદાયે પણ વિશ્વ હિંદુ પરિષદની જેમ આંદોલન અને સંઘર્ષનો રસ્તો અપનાવ્યો.
1 જુલાઈ 1989માં કહેવાયું કે રામ આ સંપત્તિના છે માલિક
1989ની ચૂંટણી પહેલાં વિશ્વ હિંદુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે 1 જુલાઈના ભગવાન રામના મિત્રના રૂપમાં પાંચમો દાવો ફૈઝાબાદની અદાલતમાં કર્યો હતો. તેમાં સ્વીકાર કરવામાં આવ્યું હતું તે 23 ડિસેમ્બર 1949ના રોજ રામ ચબૂતરાની મૂર્તિ મસ્જિદની અંદર રાખવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે જન્મ સ્થાન અને ભગવાન રામ બંને પૂજ્ય છે અને સાથે આ સંપત્તિના માલિક પણ છે.
બાબરનો કરવામાં આવ્યો હતો ઉલ્લેખ
આ કેસમાં મુખ્ય રીતે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાબરે એક જૂના રામ મંદિરને તોડીને અહીં એક મસ્જિદ બનાવી હતી. દાવાના સમર્થનમાં અનેક ઈતિહાસકારો, સરકારી ગજેટિયર્સ અને પુરાતાત્વિક સાક્ષીઓને પણ હવાલે કરવામાં આવ્યો હતો.
અયોધ્યા કેસમાં થઈ હતી વિશાળ મંદિરની વાત
આ કેસમાં પહેલીવાર કહેવામાં આવ્યું હતું કે રામ જન્મભૂમિ ન્યાસ આ સ્થાન પર એક વિશાળ મંદિર બનાવવા ઈચ્છે છે. આ દાવામાં રામ જન્મભૂમિ ન્યાસને પણ પ્રતિવાદી ગણાવવામાં આવ્યો છે. અશોક સિંઘલ આ ન્યાસના મુખ્ય પદાધિકારી હતા. આ રીતે પહેલીવાર વિશ્વ હિંદુ પરિષદ પણ પરોક્ષ રૂપે પક્ષકાર બની હતી.