અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કાર્યકારણી બેઠક યોજાઈ. આ બેઠકમાં બોર્ડે દાવો કર્યો કે અયોધ્યા વિવાદનો નિર્ણય મુસ્લિમોના પક્ષમાં આવશે.
અયોધ્યા કેસ મામલો
મુસ્લિમોના પક્ષમાં આવશે ચુકાદો : AIMPLB
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
બોર્ડે એવું પણ કહ્યું કે, સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોને જ નહીં પણ અનુસુચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા અનેક અન્ય સમુદાયો માટે મોટી મુશ્કેલી ઉભી કરશે. આ બેઠકમાં અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અને આગામી મહિને સંભવિત નિર્ણયને લઈને પણ ચર્ચા થઈ.
બોર્ડની બેઠકમાં વિવિધ મુદ્દે થઇ ચર્ચા
સાથો સાથ આ બેઠકમાં ટ્રિપલ તલાક મુદ્દે પણ ચર્ચા થઈ. આ બોર્ડની બેઠક અધ્યક્ષ મૌલાના સૈયદ રાબે હસની નદવીની અધ્યક્ષતામાં યોજાઈ. અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
અયોધ્યા કેસની ચાલી રહી છે સુનાવણી
આપને જણાવી દઇએ કે, રામ મંદિર બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલાની સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે, મામલાની સુનાવણી નક્કી કરવામાં આવેલ 18 ઓક્ટોબરથી એક દિવસ પહેલા એટલે કે 17 ઓક્ટોબરના રોજ પુરી કરવામાં આવશે.
17 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થાય છે CJI
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની આગેવાની વાળી બંધારણીય બેંચના 37 માં દિવસે મામલાની સુનાવણીના અંતમાં કહ્યું કે,મામલાની સુનાવણી 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવશે.
આવી શકે છે ઐતિહાસિક ચુકાદો
મુસ્લીમ પક્ષકાર 14 ઓક્ટોબરના રોજ દલીલ પૂર્ણ કરશે અને ત્યારબાદ 2 દિવસ સુધી હિંદુ પક્ષકારોની દલીલ માટે મળશે. હિંદુ પક્ષકાર 16 તારીખના રોજ દલીલ પૂર્ણ કરશે અને પછી 17 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે, 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટીસ નિવૃત્ત થવાના છે અને તેમની નિવૃત્તિ પહેલા આ મામલાનો ઐતિહાસિક ચુકાદો આવી શકે છે.