સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને અયોધ્યાના ધન્નીપુરમાં બનનારી મસ્જિદની ડિઝાઇન જાહેર કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલ મસ્જિદના અંડાકાર ડિઝાઇનમાં કોઇ ગુંબજ નથી. ભવ્ય રીતે બનાવવામાં આવી રહેલી મસ્જિદનો લેઆઉટ અને ડિઝાઇન જાહેર કરી દેવામાં આવી છે.
અયોધ્યામાં બનનારી મસ્જિદની ડિઝાઇન તૈયાર
5 એકર જમીનમાં બનશે ધન્નીપુર મસ્જિદ
26 જાન્યુઆરીએ થશે નિર્માણ
અયોધ્યાની નજીક ધન્નીપુર ગામમાં 5 એકર જમીન પર બનનારી મસ્જિદની ડિઝાઇનને રજૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે, મસ્જિદમાં એક સમયે 2 હજાર લોકો નમાઝ પઢી શકશે. ત્યારે, સમગ્ર મસ્જિદને સોલર લાઇટથી જ પાવર સપ્લાઈ મળશે. વિશ્વમાં સૌથી અલગ મૉર્ડન ડિઝાઇનની આ મસ્જિદની ડિઝાઇન જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીના આર્કિટેક્ટ પ્રફેસર એસએમ અખ્તરે તૈયાર કરી છે. આ માહિતી મસ્જિદના ટ્રસ્ટ ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સચિવ અતહર હુસૈને આપી છે.
મસ્જિદનું નામ રાખવામાં આવ્યું ધન્નીપુર મસ્જિદ
અતહર હુસૈને જણાવ્યું કે, મસ્જિદનું નામ ધન્નીપુર મસ્જિદ રાખવામાં આવ્યું છે. જેમાં સુપર સ્પેશિએલિટી હૉસ્પિટલ, કલ્ચરલ રિસર્ચ સેન્ટર, લાઇબ્રેરી અને રસોડું પણ બનશે. મસ્જિદ પરિસરની ડિઝાઇન આર્કિટેક્ટ રિલીઝ થયા બાદ આના નકશા પાસ કરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે 26 જાન્યુઆરી અથવા 15મી ઓગસ્ટના રોજ તેનો પાયો નખાય.
બાબરી ઢાંચાની કોઇ ઝલક નહીં દેખાઇ આવે
અતહર હુસૈને કહ્યું કે, મૉર્ડન ડિઝાઇનની આ મસ્જિદમાં બાબરી ઢાંચાની કોઇ ઝલક નહીં દેખાઇ આવે. ધન્નીપુર ગામના સરપંચ રાકેશ કુમાર યાદવે જણાવ્યું કે, આ વિસ્તારનું મોટુ ધાર્મિક પર્યટન કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. વિસ્તારનો વિકાસ થશે.
300 બેડના સ્પેશિયેલિટી એકમ હશે
આર્કિટેક્ટ પ્રોફેસર અખ્તરે કહ્યું કે, હોસ્પિટલ અંદાજે કૉંક્રિટની ફ્રેમ નહીં હોય પરંતુ મસ્જિદની વાસ્તુકલાને અનુરૂપ આને તૈયાર કરવામાં આવશે. જેમાં 300 બેડના સ્પેશિયેલિટી એકમ હશે, જ્યાં ડૉક્ટર બીમાર લોકોની મફત સારવાર કરશે.