દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રામજન્મભૂમિ અયોધ્યામાં પણ દિવાળી ઉજવવા માટે લોકો ઉત્સુક છે. અયોધ્યામાં દીપ પ્રગટાવવાનો આ વર્ષે નવો રેકોર્ડ સર્જાવાનો છે. અને તેના ભાગરૂપે જ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
તમામ રેકોર્ડ તોડી એક નવો કીર્તિમાન બનાવવામાં આવશે
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સરકાર બનવાની સાથે 2017માં અયોધ્યા રામની પૌડી પર દીપોત્સવ કાર્યક્રમની શરુઆત થઈ. સૌથી પહેલા લગભગ 1, 80, 000 દીપક પ્રગટાવ્યા હતા. આ રીતે 2018માં 3, 01, 152 અને 2019માં 5,50,000 એ બાદ 2020માં 5,51,000 અને હવે 2021માં જે યોગી સરકારનો આ કાર્યકાળનું અંતિમ વર્ષ છે. ત્યારે અયોધ્યા ન ફક્ત પોતાના તમામ રેકોર્ડ તોડવામાં આવશે બલ્કે એક નવો કીર્તિમાન પણ બનાવશે. જે એક મોટો પડકાર છે.
દીવા પ્રગટાવવા માટે 36,000 લીટર સરસિયાના તેલનો ઉપયોગ થશે
આ વર્ષે લગભગ 9 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આની ગણતરી કરશે. બાકી અયોધ્યામાં 3 લાખ દિવસ પ્રગટાવશે. આ રીતે કુલ મળીને 12 લાખ દીવા પ્રગટાવાશે. આ તમામ દીવા પ્રગટાવવા માટે 36,000 લીટર સરસિયાના તેલનો ઉપયોગ થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે
અયોધ્યામાં બુધવારે ભવ્ય કાર્યર્કમોનું આયોજન થશે. સવારે 10 વાગે ભગવાન રામની શોભા યાત્રા અને ઝાખીઓ નિકળશે. આ સાકેત મહાવિદ્યાલયથી શરુ થઈ રામકથા પાર્ક પહોંચશે. જેમાં કેન્દ્રીય મંત્રીજી કિશન રેડ્ડી સામેલ થશે. રાજ્યપાલ આનંદી બેન અને સીએમ યોગી હાજર રહેશે. કાર્યક્રમમાંમ હેલીકોપ્ટરથી રામ-સીતાનું આગમન થશે. ભરત મિલાપ અને રામાયણ ચિત્ર પ્રદર્શનીનું ઉદ્ધાટન થશે. આ ઉપરાંત અયોધ્યામાં આરતી, લેઝર શો, થ્રીડી હોલોગ્રાફીક અને આતિશબાજી પણ થશે.