રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આવી ચૂક્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાનીમાં પાંચ જજોની બંધારણીય પીઠે નિર્ણય સંભળાવતા વિવાદીત જમીન રામલલાને સોંપી છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થાન પર જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
જ્યારે સુન્ની વકફ બોર્ડને કોર્ટે અયોધ્યામાં જ અલગ 5 એકડ જમીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ સરકારને એક નવું ટ્ર્સ્ટ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
કોણ છે રામલલા વિરાજમાન
સુપ્રીમ કોર્ટે રામલલાને જ વિવાદિત જમીનના માલિક માન્યા છે. નોંધનીય છે કે, આ રામલલા ન તો કોઇ સંસ્થા છે અને ન કોઇ ટ્રસ્ટ, અહીં વાત સ્વયં ભગવાન રામના બાળ સ્વરૂપની થઇ રહી છે. એટલે કે સુપ્રીમ કોર્ટે રામલલાને લીગલ ઇન્ટિટી માનતા જમીનનો માલિકી હક તેમને આપ્યો છે.
નોંધનીય છે કે, 22/23 ડિસેમ્બર 1949ની રાત્રે મસ્જિદની અંદર રામલલાની મૂર્તિઓ રાખવામાં આવી હતી. 23 ડિસેમ્બર 1949ની સવારે બાબરી મસ્જિદના મુખ્ય ગુબંજના ઠીક નીચે વાળા ભાગમાંથી મૂર્તિઓ પ્રગટ થઇ હતી. જે ઘણા દાયકાઓ અને સદીઓથી રામ ચબૂતરા પર વિરાજમાન હતી અને જેના માટે ત્યાની સીતા રસોઇ અથવા કૌશલ્યા રસોઇમાં ભોગ બનતો હતો. રામ ચબૂતરો અને સીતા રસોઇ નિર્મોહી અખાડાના નિયંત્રણમાં હતી અને તે અખાડાના સાધુ-સન્યાસી ત્યાં પૂજા-પાઠ વગેરે કરતા હતા.
23 ડિસેમ્બરે પોલીસે મસ્જિદમાં મૂર્તિઓ રાખવાનો કેસ નોંધ્યો હતો. જેના આધાર પર 29 ડિસેમ્બર 1949ના દિવસે મસ્જિદ પર તાળુ મારી દેવાયું હતું. કોર્ટે તત્કાલિન નગરપાલિકા અધ્યક્ષ પ્રિય દત્ત રામને ઇમારતના રિસીવર નિયુક્ત કરાયા હતા અને તેમને જ મૂર્તિઓની પૂજા વગેરેની જવાબદારી આપવામાં આવી હતી.
નરસિમ્હા રાવના પુસ્તકમાં છે આખી ઘટનાનો ઉલ્લેખ
પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે પોતાના પુસ્તક 'અયોધ્યા: 6 ડિસેમ્બર 1992' માં એ એફઆઇઆર અંગે માહિતી અપાઇ છે, જે 23 ડિસેમ્બર 1949ની સવારે લખાઇ હતી. એસ.એચ.ઓ. રામદેવ દુબેએ ભારતીય દંડ સંહિતાની કલમ 147/448/295ની હેઠળ નોંધી હતી. તેમા ઘટનાનો ઉલ્લેખ કરતા લખાયુ હતું, ''રાત્રે 50-60 લોકો તાળુ તોડીને અને દીવાર કુદીને મસ્જિદમાં ઘુસી ગયા અને ત્યાં તેમણે શ્રી રામચંદ્રજીની મૂર્તિની સ્થાપના કરી. તેમમે દીવાર પર અંદર અને બહાર ઘેરા અને પીળા રંગથી 'સીતારામ' વગેરે પણ લખ્યું. તે સમયે ડ્યૂટી પર તહેનાત કોનસ્ટેબલે તેમને એવુ કરવાથી મનાઇ કરી હતી. પરંતુ તેમણે એમની વાત ન સાંભળી. ત્યાં તહેનાત પીએસીને પણ બોલાવવામાં આવ્યા, પરંતુ તે સમયે તે મંદિરમાં પ્રવેશી ચૂક્યા હતા.''
2010ના નિર્ણયમાં પણ હતો રામલલાનો ભાગ
30 સપ્ટેમ્બર 2010ના દિવસે અલાહાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળને રામ જન્મભૂમિ કરાર કર્યો હતો. હાઇકોર્ટે 2.77 એકડ જમીનની વહેંચણી કરી દીધી હતી. કોર્ટે સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાની વચ્ચે જમીન બરાબર વંહેચવાનો આદેશ આપ્યો હતો.
1 જુલાઇ 1989ને કહેવાયું હતું- રામ આ સંપત્તિના માલિક
1989ની સામાન્ય ચૂંટણીની પહેલા વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે 1 જુલાઇએ ભગવાન રામના મિત્રના રૂપમાં પાંચમો દાવો ફેઝાબાદની કોર્ટમાં દાખલ કરાયો હતો. આ દાવામાં સ્વીકાર કરાયો હતો કે 23 ડિસેમ્બર 1949ના દિવસે રામ ચબૂતરાની મૂર્તિઓ મસ્જિદની અંદર રાખવામાં આવી હતી. તેની સાથે દાવો કરાયો હતો કે જન્મ સ્થાન અને ભગવાન રામ બંને પૂજ્ય છે અને તે આ સંપત્તિના માલિક પણ છે.
બાબરનો કરાયો હતો ઉલ્લેખ
નોંધનીય છે કે આ કેસમાં મુખ્યત્વે એ વાતનો ઉલ્લેખ કરાયો હતો કે બાબરે એક જુના રામ મંદિરને તોડીને ત્યાં એક મસ્જિદ બનાવી હતી. દાવાના સમર્થનમાં અનેક ઇતિહાસકારો, સરકારી ગજેટિયર્સ અને પુરાતત્વ પુરાવાનો પણ હવાલો આપવામાં આવ્યો હતો.
આ કેસમાં થઇ હતી વિશાળ મંદિરીની વાત
આ કેસમાં પહેલી વાર કહેવાયું હતું કે રામ જન્મભૂમિ ન્યાસ આ સ્થાન પર એક વિશાળ મંદિર બનાવવા ઇચ્છે છે. આ દાવામાં રામ જન્મભૂમિ ન્યાસને પણ પ્રતિવાદી બનાવાયા હતા. અશોક સિંઘલ આ ન્યાસના મુખ્ય પદાધિકારી હતા. આ પ્રકારે પહેલીવાર વિશ્વ હિન્દુ પરિષદ પણ પરોક્ષ રુપે પક્ષકાર બન્યું.
મુસ્લિમ પક્ષનો મળશે 5 એકડ જમીન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિવાદિત જમીન પર રામલલાનો હક છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકડ જમીન કોઇ અન્ય જગ્યાએ અપાશે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર અયોધ્યામાં યોગ્ય સ્થાન પર મસ્જિદ બનાવવા જમીન આપે.