અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અયોધ્યા તંત્ર સમગ્ર રીતે તૈયારી છે. પંચ કોસી પરિક્રમાને લઇને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે.
ચુકાદા પહેલા અયોધ્યા તંત્ર અલર્ટ
ડ્રોન દ્વારા અયોધ્યા શહેર પર નજર
ગૃહ મંત્રાલયની તમામ રાજ્યોને અડવાઇઝરી
અયોધ્યાને લઇને સ્થાનિક તંત્રએ કેટલીક શાંતિ સમિતિઓ બનાવી છે. આ સમિતિઓમાં સામેલ લોકો જિલ્લાના ગામડાઓમાં જઇને લોકોને શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની અપીલ કરી રહ્યા છે. બહારના જિલ્લામાં ડઝનોની સંખ્યામાં અસ્થાયી જેલ પરિસરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શાળા અને પ્રાઇવેટ બિલ્ડિંગોને અસ્થાયી જેલ માટે પસંદ કરવામાં આવ્યા છે. અયોધ્યાના દરેક વિસ્તારમાં ફોર્સની તૈનાતી કરવામાં આવી છે.
તમામ રાજ્યોને સુરક્ષા એડવાઇઝરી
ગૃહ મંત્રાલયથી જોડાયેલ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના ચુકાદાને ધ્યાને રાખતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી મોકલી છે. તમામ રાજ્યોના ચુકાદાને લઇને અલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વધારે સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે અર્ધ સૈનિક દળોની 40 કંપનીઓ મોકવી છે. આ 40 કંપનીઓમાં 4000 પૈરા મિલિટ્રી ફોર્સના જવાનો પણ સામેલ છે.
ક્યારે આવશે ચુકાદો
બીજી તરફ, અયોધ્યામાં જમીમ વિવાદ પર ચુકાદાની તારીખ નજીક આવી રહી છે. સુનાવણી પૂર્ણ થયા બાદ આ સમયે તમામ પક્ષોના વકીલોના દાવાઓ અને પૂરાવાઓની તપાસની સાથે ચુકાદો લખવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોર્ટ ક્ષેત્રમાં અને સામાન્ય લોકો વચ્ચે આ ચર્ચા છે કે ચુકાદો કઇ તારીખે આવી શકે છે.
કેટલાક લોકોનું કહેવું છે કે અયોધ્યા પર ચુકાદો શુક્રવારે 8 નવેમ્બરે જ આવશે. ચુકાદાનો સમય હોઇ શકે છે બપોરે સાડા ત્રણ વાગ્યો. જ્યારે કેટલાક અન્ય લોકોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ પાંચ જજોની વિશેષ પીઠ મંગળવારે એટલે 12 નવેમ્બર બાદ આ મામલે ચુકાદો સંભળાવશે. એટલે 13થી 16 નવેમ્બર વચ્ચે ગમે તે દિવસે.
આ સંભવિત તારીખોમાંથી 13 નવેમ્બર અથવાતો 14 નવેમ્બરે ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. કોર્ટના કેલેન્ડર પર નજર કરીએ તો કામગીરીના દિવસોમાં સાત અને આઠ નવેમ્બર છે. નવ, દસ, અગ્યાર અને બાર નવેમ્બર રજા છે. પછી કાર્તિક પૂર્ણિમા બાદ કોર્ટ 13, 14 અને 15 નવેમ્બરે જ ખુલશે. 16 નવેમ્બર શનિવાર અને 17 નવેમ્બરે રવિવાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ રવિવારે નિવૃત થઇ જશે.