અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે કહ્યું કે આ નિર્ણય વિરૂદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ નહીં કરે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અત્યાર સુધી અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન લેવાનો કોઇ નિર્ણય નથી કર્યો. શિયા વક્ફ બોર્ડ કોર્ટમાં પોતાનો દાવો કરશે.
સુન્ની વક્ફ બોર્ડે ઠુકરાવી મસ્જિદની 5 એકર જમીન
સુન્ની વક્ફ બોર્ડનો પુનર્વિચાર કરવાની અરજી ન કરવાનો નિર્ણય
શિયા વક્ફ બોર્ડ રજૂ કરશે પોતાનો દાવો
બોર્ડે અત્યાર સુધી નક્કી નથી કર્યું કે તેઓ મસ્જિદ નિર્માણ માટે મળનારી જમીન પર દાવો કરે કે નહીં. જોકે આ વચ્ચે શિયા વક્ફ બોર્ડે કહ્યું કે જો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ જમીન લેવા રાજી નથી તો આ જમીનને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપી દેવામાં આવે.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની બેઠક બાદ બોર્ડે અધ્યક્ષ વસીમ રિઝવીને કહ્યું કે અમે આ પ્રસ્તાવ પાસ કર્યો છે કે જો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ મસ્જિદ નિર્માણ માટે વહેંચેલ જમીનને સ્વીકારશે નહીં તો અમે આ જમીનને શિયા વક્ફ બોર્ડને આપવાની માંગ કરીશું. અમે આ જમીન પર હોસ્પિટલ બનાવીશું, જેમાં તમામ ધર્મના લોકો મફતમાં ઇલાજ કરી શકશે. જણાવી દઇએ કે હાલમાં જ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વક્ફ બોર્ડે પુનર્વિચાર કરવાની અરજી ન કરવાનો નિર્ણય કર્યો છે.
AIMPLB કોર્ટમાં પુનર્વિચાર અરજી કરશે
સુન્ની વક્ફ બોર્ડે મંગળવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના એક દિવસ બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)એ કહ્યું કે તેઓ ચુકાદાને પડકાર આપવા માટે કોર્ટમાં પુનર્વિચારની અરજી કરશે.
AIMPLBએ કહ્યું કે પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરતા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે અમે બાબરી મસ્જિદ કેસમાં પુનર્વિચાર અરજી કરવા જઇ રહ્યા છીએ. સુન્ની વક્ફ બોર્ડના અરજી ન દાખલ કરવાના નિર્ણયનો કાયદાકીય રીતે કોઇ અસર નહીં પડે.