સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 9 દિવસથી સુનાવણી કરવામાં આવી રહી છે અને આજે 10મો દિવસ છે. અત્યાર સુધીમાં નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલ તરફથી કોર્ટમાં પોતાનો પક્ષ રાખી ચૂક્યાં છે.
બુધવારે સાંજે સુનાવણી પૂર્ણ થઇ તે પહેલા ગોપાલ સિંહ વિશારદ તરફના વકીલ રંજીત કુમારે પોતાની દલીલ રાખી હતી. ગોપાલ સિંહ વિશારદના વકીલ રાજીવ કુમાર તરફથી કહેવામાં આવ્યું કે 1949માં મુસ્લિમ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ 1935થી ત્યાં નમાઝ અદા નથી કરી રહ્યાં.
એવામાં જો જમીન હિન્દુઓને આપવામાં આવશે તો કોઇ પરેશાની નહીં થાય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સોંગદનામાની માન્યતાને લઇને પૂછ્યું હતું. કોર્ટે પૂછ્યું કે શું આ સોંગદનામાની ચકાસણી કરવામાં આવી છે.
ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે આ સોંગદનામું ત્યારે આપવામાં આવ્યું હતું કે જ્યારે સરકારે જમીન રીસીવરને સોંપવા માગતી હતી. શું આ વાત ક્યારેય મેજિસ્ટ્રેટ સામે પુરવાર થઇ હતી?
અયોધ્યા વિવાદની સુનાવણી આજે શરૂ થઇ હતી. આજે સુનાવણીનો દસમો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં ગોપાલ સિંહ વિશારદના વકીલ રંજીત કુમારે પોતાનો પક્ષ રાખ્યો. તેમની તરફથી 1950માં જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
બુધવારની સુનાવણીમાં શું થયું ?
સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ રામલલા વિરાજમાનના વકીલ સીએસ. વૈધનાથનને જ પોતાની વાત આગળ ધપાવી હતી. જેમાં કેટલાંક પુરાવા રજૂ કર્યાં. જેમાં વકીલે સ્કન્દ પુરાણની વાત કરી હતી. જેમાં ASIના રિપોર્ટને લઇને જણાવામાં આવ્યું અને કેટલાક ફોટો બતાવવામાં આવ્યાં.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કર્યાં અનેક સવાલ
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સુનાવણી દરમિયાન ઘણા અલગ સવાલ કર્યા. જેમાં CJIએ કહ્યું કે કોર્ટને મજબૂત પુરાવા જોઇએ. અમને નકશો બતાવો અથવા એવું કોર્ટમાં રજૂ કર્યો કે જે જગ્યાનો દાવો કરી રહ્યાં છો તે એ જગ્યા છે. CJIએ પૂછ્યું કે ધર્મગ્રંથોને આ સમયે આ મામલા સાથે કોઇ લેવા-દેવા નથી, કારણ કે આ સવાલ આસ્થાનો નહીં પરંતુ જમીનનો છે.