અયોધ્યા મામલામાં નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલીફ માટે નોટ દાખલ કરી છે. આ નોટમાં અખાડા તરફથી રામલલા અથવા કોઇપણ હિન્દૂ પક્ષકારના પક્ષમાં ડિગ્રી હોવા પર પોતાના સેવા અધિકારને જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે.
અયોધ્યા મામલામાં નિર્મોહી અખાડાએ SCમાં મોલ્ડિંગ ઓફ રિલીફ નોટ દાખલ કરી
નિર્મોહી અખાડાએ કહ્યું-વિવાદિત ભૂમિ પર મંદિર બનાવવાની સાથે રામલલાની પૂજાનો અધિકાર હોય
વિવાદ વચ્ચે રામલલા વિરાજમાન તરફથી લેખિત જવાબ દાખલ કર્યો છે
સાથે જ કહેવામાં આવ્યું કે વિવાદિત ભૂમિ પર મંદિર બનાવવાની સાથે જ રામલલાની સેવા પૂજા અને વ્યવસ્થાની જવાબદારીનો અધિકાર હોય. અખાડાએ પોતાની નોટમાં અલાહાબાદ હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખવા અને મુસ્લિમ પક્ષ તરફથી ત્યાં કોઇ નિર્માણ ન કરવાના ઇરાદા બતાવાયા બાદ કોર્ટ મુસ્લિમ પક્ષના નિર્દેશ આપવાની વાત પણ કહી છે.
જેથી તે પોતાના ભાગની ભૂમિ અખાડાના પટ્ટા પર આપે. તેથી ત્યાં રામલલાનું ભવ્ય મંદિર બની શકે. આ અંતર્ગત કોર્ટ મુસ્લિમ પક્ષના 77 એકડ અધિગ્રહણ કરાયેલ ભૂમિથી બહાર મસ્જિદ માટે સમુચિત ભૂમિ ઉપલબ્ધ કરાવવાનો આદેશ સરકારને આપે.
નોંધનીય છે કે આ આખા વિવાદ વચ્ચે રામલલા વિરાજમાન તરફથી લેખિત જવાબ દાખલ કર્યો છે. રામલલાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આખુ ક્ષેત્ર રામ મંદિર માટે તેમને આપવામાં આવે. સાથે જ નિર્મોહી અખાડા અથવા મુસ્લિમ પાર્ટીઓને જમીનનો કોઇ ભાગ ન મળવો જોઇએ.
જ્યારે મુસ્લિમ પક્ષે પણ મોલ્ડિંગ ઓફ રિલીફ પર સુપ્રીમ કોર્ટમાં સીલ બંધ નોટ દાખલ કર્યું છે. સૂત્રો મુજબ, મુસ્લિમ પક્ષે કહ્યું કે તેમને એ રાહત જોઇએ કે જે તેમણે દલીલો રજૂ કરતી વખતે કહી હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને દલીલ દરમિયાન કહ્યું કે એમને વિધ્વંસથી પહેલાની બાબરી મસ્જિદ જોઇએ.