રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધ નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ પિટીશન દાખલ કરી છે. અયોધ્યા મામલામાં નિર્મોહી અખાડા પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અખાડાએ નિર્ણય મુજબ ટ્રસ્ટમાં તેનું સ્થાન હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
બાબરી મસ્જિદ જમીન વિવાદમાં નિર્મોહી અખાડાએ રિવ્યૂ પિટીશન દાખલ કર્યું
નિર્મોહી અખાડા આ મામલામાં સ્પષ્ટીકરણ ઇચ્છે છે.
નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં પૂનર્વિચાર અરજી દાખલ કરી છે. નિર્મોહી અખાડાએ અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના 9 નવેમ્બરના નિર્ણયમાં કેન્દ્રના રામ મંદિર નિર્માણ માટે બનવા જઇ રહેલા ટ્રસ્ટમાં અખાડાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો નિર્દેશ આપ્યો હતો. નિર્ણય બાદ એક મહીનાથી વધારે સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેની ભૂમિકા અને પ્રતિનિધિત્વને નિર્ધારિત કરવામાં નથી આવી. નિર્મોહી અખાડા આ સંબંધમાં સ્પષ્ટીકરણ ઇચ્છે છે.
અરજીમાં વિવાદિત હસ્તગત 2.77 એકડ જમીનની બહાર અખાડાના સ્વામિત્વ વાળા કેટલાય મંદિરોને પાછા આપવાની માંગ પણ કરવામાં આવી છે.