રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે પોતાની પરંપરા તોડીને આ મામલે અઠવાડીયામાં પાંચ દિવસ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. જો કે સુન્ની વકફ બોર્ડ તરફથી આ નિર્ણય પર અસમર્થતા દર્શાવવામાં આવી છે. શુક્રવારે જ્યારે આજે કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે સુન્ની વકફ બોર્ડના વકીલે ચીફ જસ્ટિસ સામે પોતાની વાત રાખી.
આજરોજ બાબરી મસ્જિદ વિવાદપ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ત્યારે મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં અપીલ કરવામાં આવી કે તેઓ અઠવાડીયામાં પાંચ દિવસ સુધી સુનાવણીમાં કોર્ટની મદદ કરી શકે તેમ નથી.
સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને કોર્ટમાં જણાવ્યું કે આ માત્ર એક અઠવાડિયાનો મામલો નથી, પરંતુ લાંબા સમય સુધી ચાલનારો કેસ છે. વકીલે જણાવ્યું કે અમારે રાત-દિવસ દસ્તાવેજનો અભ્યાસ કરી તૈયારીઓ કરવી પડે છે. જેના પર ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે અમે તમારી વાત સાંભળી લીધે, અમે આ અંગે જણાવીશું.
Ayodhya land dispute: Sr advocate R Dhavan says 'If the hearing is 5-days a week then it's inhuman&we won't be able to assist the court. Hearing can’t be rushed through. I'll be forced to leave this case.' CJI Ranjan Gogoi says 'we have heard your grievance,we'll inform you soon'
ઉલ્લેખનીય છે કે 6 ઓગ્સ્ટથી અયોધ્યા મામલે રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. રોજ સુનાવણી હેઠળ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ-બુધ-ગુરૂવારના રોજ સુનાવણી ચાલશે. જો કે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો કે તેઓ અઠવાડિયામાં પાંચ દિવસ આ મામલે સુનાવણી કરશે.
આમ આવતા અઠવાડીયાથી આ કેસ પાંચ દિવસ સુનાવણી કરવામાં આવશે. જો કે સોમવારે ઇદ હોવાથી સુપ્રીમ કોર્ટ બંધ રહેશે, જેને લઇને 13 ઓગસ્ટથી લઇને 16 ઓગસ્ટ સુધી આ મામલે સુનાવણી હાથ ધરાશે. જો કે હવે દર અઠવાડીયે સોમવારથી શુક્રવાર સુધી કેસની સુનાવણી કરવામાં આવશે.
6 ઓગસ્ટથી આ મામલે શરૂ થયેલી સુનાવણીમાં અત્યાર સુધીમાં રામલલા-નિર્મોહી અખાડાના વકીલે પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રાખ્યો છે. સુનાવણી દરમિયાન ઘણા પૌરાણિક તથ્યો કોર્ટ સામે રાખવામાં આવ્યાં. અયોધ્યા વિવાદની સુનાવણી સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની ખંડપીઠ કરી રહી છે.