અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટેમાં પહેલી પુનર્વિચાર અરજી દાખલ કરાઇ છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પન્નોની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. એમ સિદ્દીકી તરફથી માંગ કરવામાં આવી કે બંધારણ પીઠના આદેશ પર રોક લગાવવામાં આવશે. જેમા કોર્ટ વિવાદીત જમીનને રામ મંદિરના પક્ષમાં આપી હતી.
અરજીમાં એમ પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે મંદિર બનાવવાને લઇને ટ્રસ્ટનું નિર્માણ ન કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 1934, 1949 અને 1992માં મુસ્લિમ સમુદાયની સાથે થયેલ અન્યાયને ગેરકાનૂની કરાર કર્યો, પરંતુ તેને અવગણ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં પૂર્ણ ન્યાય ત્યારે જ કહેવાય જ્યારે મસ્જિદનું પુનનિર્માણ થશે.
Jamiat Ulema-e-Hind to file review petition in the Ayodhya land dispute case in Supreme Court today.
અરજીમાં સુપ્રીમ કોર્ટને 9 નવેમ્બરના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી. સૂત્રો મુજબ જમીયતે કોર્ટે નિર્ણયની એ બાબતો પર ફોકસ કર્યું છે, જેમા ઐતિહાસિક ભૂલોનો ઉલ્લેખ છે. પરંતુ નિર્ણય તેના ઠીક વિરુદ્ધ આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે એ વાતના મજબુત પૂરાવા નથી મળ્યા કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
જ્યારે બીજી બાબત એ છે કે, 22-23 ડિસેમ્બર 1949ની રાત્રે આંતરિક યાર્ડમાં મૂર્તિઓ રાખવી પણ ખોટુ હતું. આ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહી હતી. 6 ડિસેમ્બર 1992એ વિવાદીત ઢાંચો તોડવામાં આવ્યો હતો. પરંતુ આ ભૂલો પર સજા આપવાની જગ્યાએ તેઓને પૂર્ણ જમીન આપી દેવામાં આવી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેથી કોર્ટે આ નિર્ણય પર ફરીથી વિચાર કરે.
Zafaryab Jilani, All India Muslim Personal Law Board (AIMPLB): We are not going to file the review petition (in the Ayodhya case) before Supreme Court today. We have prepared the review petition and we can do it any day before 9th December. pic.twitter.com/wrujXqrQUc
સુપ્રીમ કોર્ટનો નિષ્કર્ષ યોગ્ય નથી કે એ બતાવવા માટેના પૂરાવા છે કે હિન્દુઓએ મસ્જિદના પરિસરમાં 1857થી પહેલા પૂજા કરી હતી.
એ પણ નિષ્કર્ષ યોગ્ય નથી કે એ બતાવવા માટેના પૂરાવા હતા કે 1857 અને 1949ની વચ્ચે આંતરિક ભાગ મુસ્લિમના કબજામાં હતો.
સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મસ્જિદ પક્ષ પ્રતિકૂળ કબજાને સાબિત કરવામાં સક્ષમ ન રહ્યો, અને આ પણ યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે એએસઆઇની રિપોર્ટમાં વાંચ્યું હતું કે એ નિષ્કર્ષ નીકાળવામાં આવ્યો કે મસ્જિદ ખાલી ભૂમિ પર નહીં પરંતુ એક બિન-ઇસ્લામી સંરચનાના ખંડેર પર બનાવાઇ હતી, જે 10મી સદીના હિન્દૂ ઢાંચા સાથે મળતી આવતી હતી. જે પણ ઠીક નથી.
સુપ્રીમ કોર્ટે એ નિષ્કર્ષ પર ભૂલ કરી છે કે હિન્દુ લોકો નિર્વિવાદ રૂપે મસ્જિદની અંદર પૂજા કરતા હતા જે અંદરના ગર્ભગૃહને ભગવાન રામનું જન્મ સ્થાન માને છે.
મુસ્લિમ પક્ષને અનુચ્છેદ 143ના હેઠળ મુસ્લિમ પક્ષને 5 એકડ જમીન આપવાનો નિર્ણય પણ યોગ્ય નથી.