પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાને નજરકેદ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી. જેને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. કોર્ટમાં CJI રંજન ગોગોઈએ કહ્યું છે કે હાલમાં અયોધ્યા કેસને મહત્વ આપવામાં આવશે. જમ્મૂ કાશ્મીરથી લઈને અન્ય અરજીઓ માટે મંગળવારે નિર્ણય લેવાશે.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી શરૂ
જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા કેસની સુનાવણી મંગળવારે
CJI રંજન ગોગોઈએ કરી જાહેરાત
સુપ્રીમ કોર્ટમાં જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા દરેક કેસમાં સંવિધાન મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાને પણ નજરકેદ કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરવાની મનાઈ ફરમાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાઈકોની અરજીમાં પીએસએને કોઈ ચેલેન્જ આપવામાં આવી નથી. આ અરજી પર છેલ્લી સુનાવણીમાં સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. આ અરજી રાજ્યસભા સાંસદ વાઈકોએ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ને લઈને દાખલ કરવામાં આવેલી અરજીમાં લોકોની કસ્ટડી, બાળકોની કસ્ટડી અને બ્લેક આઉટને લઈને પણ અરજી સામેલ છે.
આ કેસની સુનાવણી થશે મંગળવારે, અયોધ્યા કેસને અપાયું પ્રાધાન્ય
CJI રંજન ગોગોઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ પર ચાલી રહેલી રોજની સુનાવણીને કારણે બેન્ચની પાસે સમય નથી. આ કારણે સંવિધાન આ કેસની સુનાવણી મંગળવારથી કરશે. જે સુનાવણી લંબાવવામાં આવી છે તેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામનબી આઝાદની અરજી પણ હતી. છેલ્લી સુનાવણીમાં આઝાદને કોર્ટે કાશ્મીરના 4 જિલ્લામાં જમ્મૂ કાશ્મીર, શ્રીનગર, અનંતનાગ અને બારામુલા જવાની પરમિશન આપી હતી. આ સિવાય સીપીઆઈ નેતા સીતારામ યેચૂરીની અરજી પણ સામેલ છે. કોર્ટે યેચૂરીને પોતાની પાર્ટીના નેતા યૂસુફ તારિગામીને મળવાની પરમિશન આપી હતી. ત્યારબાદ તેમને તારિગામીને એમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લી સુનાવણીમાં કોર્ટે તેમને કહ્યું કે તેઓ જમ્મૂ કાશ્મીર જવા માટે આઝાદ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આક્ટિકલ 370ને હટાવવા માટે જે અરજી નોંધાવવામાં આવી છે તે જ અરજી બાળકોને ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટની કસ્ટડીમાં લેવા માટે છે. આ સિવાય છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યની જ્યૂવનાઈલ જસ્ટિસ કમિટીનો રિપોર્ટ માંગ્યો. આ અરજી એનાક્ષી ગાંગુલી અને શાંતા સિન્હાએ નોંધાવી હતી.