અયોધ્યા કેસ (Ayodhya Case)માં સુપ્રીમ કોર્ટમાં સોમવારે 34માં દિવસે સુનાવણી થઇ. અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મુસ્લિમ પક્ષકારોની દલીલ પુરી થયા બાદ હિન્દૂ પક્ષકારો તરફથી પરાસરણે જવાબ આપ્યો. પરાસરણે કહ્યું કે હિન્દૂ માન્યતાઓમાં ઇશ્વર તો એક જ છે પરંતુ લોકો અલગ-અલગ રૂપ, આકાર અને મંદિરોમાં તેની વિવિધ રૂપે પૂજા-ઉપાસના કરે છે.
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં 34માં દિવસે સુનાવણી
અયોધ્યા જમીન વિવાદ મામલે હિન્દૂ પક્ષકારો તરફથી પરાસરણે દલીલ રજૂ કરી
હિન્દૂ પક્ષકારો તરફથી પરાસરણે કહ્યું કે હિન્દૂ માન્યતાઓમાં ઇશ્વર તો એક જ છે
હિન્દૂ ઉપાસના સ્થળોના આકાર-પ્રકાર અને વાસ્તુ વિન્યાસ અલગ-અલગ છે, ક્યાંક મૂર્તિઓની સાથે તો ક્યાંક વિના મૂર્તિઓએ, ક્યાંક સાકાર તો ક્યાંક નિરાકાર રૂપે ઉપાસનાની પદ્ધતિ પ્રચલિત છે. બસ આ વિવિધતાઓની વચ્ચે સમાનતા એટલી જ છે કે લોકો દિવ્યતા અથવા દેવતાની પૂજા કરે છે. મંદિરોના વાસ્તુ અને પૂજા પદ્ધતિ પણ અલગ-અલગ છે. આપ એક ફ્રેમમાં હિન્દૂ મંદિરોને બાંધી ન શકો.
જસ્ટિસ બોબડેએ પરાસરણને કહ્યું કે આપ ન્યાયિક વ્યક્તિત્વને સાબિત કરવાના 'દેવત્વ' પર જોર કેમ આપી રહ્યા છો? તેની આવશ્યકતા નથી. જો આ કોઇ વસ્તુ છે, અથવા ઉત્તરાધિકારનો મામલો છે તો ન્યાયિક વ્યક્તિત્વની આવશ્યકતા છે. આપણે 'દેવત્વ' પર કેમ આવી રહ્યા છીએ? પરાસરણે કહ્યું કે આપણે દેવતાઓ પર ધ્યાન કરવા કોઇ આધાર જોઇએ. જેથી આપણે આધ્યાત્મિક દિવ્યતા તરફ જઇ શકીએ. કે પરાસરણે કહ્યું કે હિન્દૂ ધર્મમાં ઇશ્વર એક હોય છે અને સુપ્રીમ હોય છે. અલગ રૂપે અલગ પ્રકારે વિવિધ મંદિરોમાં પૂજા થાય છે.
આ દરમિયાન રાજીવ ધવને પરાસરણની દલીલનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે જે ઉદાહરણ આપી રહ્યા છે તેનો આ કેસ સાથે કોઇ લેવા-દેવા નથી. તેમણે અમારા ઉઠાવેલા સવાલોનો જવાબ ન આપ્યો. પરાસરણે કહ્યું કે ધવને અમારા સવાલો પર ચાર દિવસ જવાબ આપ્યો, પરંતુ મારા બોલવા પર સવાલ ઉભો કરી રહ્યા છે. હું જે બોલી રહ્યો છું. તેનો અર્થ છે.
પરાસરણે કહ્યું કે સ્વયંભૂ બે પ્રકારના હોય છે, એક તો મૂર્તિ રૂપે, બીજા જે સ્વંય પ્રકટ થાય છે. અમારા અહીં ભૂમિ પણ સ્વયંભૂ હોય છે. પરાસરણે જમીનની દિવ્યતા વિશે બતાવતા કહ્યું કે જરૂરી નથી કે ભગવાનનું કોઇ નિશ્ચિત રૂપ હોય, પરંતુ સામાન્ય લોકોને પૂજા કરવા માટે એક આકૃતિની જરૂર હોય છે જેથી લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય.
આ પહેલા મુસ્લિમ પક્ષ તરફથી નિજામ પાશાએ કહ્યું કે, કુરાન અને હદીસ મુજબ કોઇપણ રીતે મસ્જિદ બનાવી શકાય છે. કોઇપણ જમીન પર વિના મીનાર અને વજૂખાનાએ મસ્જિદ બનાવી શકાય છે. પહેલા ક્યારેય મંદિર પણ રહ્યું હોય તો ત્યાં પણ મસ્જિદ બનાવી શકાય છે. મસ્જિદમાં ક્યાંક મૂર્તિ પણ હોય અથવા દીવારો, સ્તંભોમાં નજરે ન પડતી તસવીર અથવા મૂર્તિ બની હોય તો પણ નમાજ ઉચિત ગણાય છે.