બાબરી મસ્જિદ એક્શન કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને માંગ કરી છે કે મસ્જિદના અવશેષો સમિતિને આપવામાં આવે. બાબરી એક્શન કમિટી સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે બાબરી મસ્જિદનો ભાગ હજી ત્યાં હાજર છે.
બાબરી મસ્જિદ એક્શન કમિટીની વધુ એક અરજી
મસ્જિદના અવશેષો સમિતિને સોંપવામાં આવે
એમ સિદ્દીકીએ કોર્ટમાં ફેર વિચારણાની કરી હતી માગ
બાબરી મસ્જિદ એક્શન કમિટી સાથે જોડાયેલા સૂત્રોનું માનવું છે કે, અયોધ્યા રામ જન્મભૂમિ મામલાની સુનાવણી દરમિયાન ક્યારેય આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, આખરે મસ્જિદના અવશેષનું શું કામ હશે. ત્યારે હવે અવશેષ ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે તો તે અવશેષ તેમને સોંપવામાં આવે.
મસ્જિદના અવશેષો સોંપવાની કરી માગ
બાબરી એક્શન કમિટી અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ઉપચારાત્મક અરજી પણ કરવા જઇ રહી છે. ક્યૂરેટિવ અરજી સાથે એક અરજી કરવામાં આવશે, જેમાં બાબરી મસ્જિદના અવશેષો સોંપવાની માંગ પણ કરવામાં આવશે.
એમ સિદ્દીકીએ કોર્ટમાં ફેર વિચારણાની કરી હતી માગ
આ પહેલા 2 ડિસેમ્બરે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી ફેરવિચારણા અરજી કરવામાં આવી હતી. પક્ષના એમ સિદ્દીકીએ કોર્ટમાં 217 પાનાની ફેરવિચારણા અરજી દાખલ કરી હતી. સિદ્દીકીએ માંગ કરી કે બંધારણના બેંચના આદેશ પર રોક લગાવવામાં આવે, જેમાં અદાલતે વિવાદિત જમીનને રામ મંદિરની તરફેણમાં આપી હતી.
સિદ્દીકી સહિત કુલ 18 અરજીઓ કરાઇ હતી દાખલ
આ નિર્ણય પર સિદ્દીકી સહિત કુલ 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પક્ષ દ્વારા 9 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 9 અરજદારોએ અરજી કરી હતી.