અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને દલીલ આપી કે અમે ભગવાન રામનું સમ્માન કરીએ છીએ. જન્મસ્થાનનું સમ્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સમ્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. આ દેશ વિવિધતા ધરાવતો દેશ છે.
મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને કહ્યું- જન્મસ્થાનની દલીલ વિશ્વાસ અને આસ્થા પર આધારિત
રાજીવ ધવને કહ્યું-અમે ભગવાન રામનું સમ્માન કરીએ છીએ
તમામ વર્ગોથી બનેલા આ દેશનો સ્વર્ણિમ ઇતિહાસ : રાજીવ ધવન
રાજીવ ધવને દલીલ કરતા કહ્યું કે, દુનિયાનો કોઇ દેશ આટલી વિવિધતા વાળો નથી. તમામ વર્ગોથી બનેલા આ દેશનો સ્વર્ણિમ ઇતિહાસ છે. પરંતુ વિવાદ ભગવાનના જન્મસ્થાનને લઇને છે કે જન્મસ્થાન ક્યાં છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ દ્વારા 29માં દિવસે મામલાની સુનાવણી થઇ.
સુન્ની વકફ બોર્ડ (મુસ્લિમ પક્ષકાર)ના વકીલ રાજીવ ધવને કહ્યું કે ધર્મશાસ્ત્ર વિશે ખુદ પરિકલ્પના ન કરી શકાય, આ ખોટુ હશે. જન્મસ્થાનની દલીલ વિશ્વાસ અને આસ્થા પર આધારિત છે અને જો આ દલીલને સ્વીકારી લેવામાં આવી તો તેની વ્યાપક અસર થશે. વૈદિક કાળમાં સુર્ય, નદી, ઝાડ વગેરેની પૂજા થતી હતી. એમની (હિન્દુ પક્ષકારની દલીલ) દલીલ છે કે આ તમામ વસ્તુઓ ન્યાયિક વ્યક્તિત્વ છે. આ ન્યાયિક વ્યક્તિત્વની વાત નથી પરંતુ આદરનો ભાવ છે.
રાજીવ ધવને કહ્યું કે, આ મામલામાં રામલલા વિરાજમાનનો ઇરાદો જ હતો કે વિવાદિત સ્થળ પર કબજો કરવામાં આવે અને જુના સ્ટ્રક્ચરને તોડવામાં આવ્યું, જેથી નવુ મંદિર બનાવી શકાય અને બીજાના શેબિયત (મેનેજમેન્ટનો અધિકાર) ખતમ કરવામાં આવે.
જ્યારે એસએ બોબડેએ કહ્યું કે કાનૂની એકમ સાથે શું દેવતાના પાસાઓને જોવાની આવશ્યકતા છે તો બતાવો. ત્યારબાદ રાજીવ ધવને કહ્યું કે ધર્મશાસ્ત્રની ખુદ ની સાથે રચના ન કરી શકાય. સમાજના પરિવર્તન માટે બંધારણની જરૂરત નથી. પીએમ નરેન્દ્ર મોદી પણ કહે છે કે દેશ બદલાઇ રહ્યો છે, પરંતુ તેના માટે બંધારણ બદલવાની જરૂર નથી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અયોધ્યાના મામલામાં હિન્દુઓની આસ્થા પર કેવી રીતે સવાલ ઉઠાવી શકાય છે આ મુશ્કેલ છે. એક મુસ્લિમ સાક્ષીનું નિવેદન છે કે હિન્દુઓ માટે અયોધ્યા એવું જ છે જે રીતે મુસ્લિમ માટે મક્કાનું સ્થાન.
તેના પર રાજીવ ધવને દલીલ કરી હતી કે, અમે ભગવાન રામનું સમ્માન કરીએ છીએ. જન્મસ્થાનનું સમ્માન કરીએ છીએ. જો આ દેશમાં રામ અને અલ્લાહનું સમ્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. આ દેશ વિવિધતાઓ વાળો દેશ છે. દુનિયાનો કોઇ દેશ આટલી વિવિધતા ધરાવતો નહીં હોય. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ દ્વારા 29માં દિવસે મામલાની સુનાવણી થઇ. સોમવારે સાંજે ચાર વાગ્યાને બદલે 5 વાગ્યા સુધી સુનાવણી ચાલી. હવે પછી સુનાવણી મંગળવારે થશે.