અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. મધ્યસ્થતા કમિટીની રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચને મધ્યસ્થતા કમિટીને 31 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે ઓપન કોર્ટમાં સુનવણી થશે.
અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે ઓપન કોર્ટમાં સુનવણી થશે. એટલે કે 2 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે આ મામલાનો ઉકેલ મધ્યસ્થતાથી નિકાળવામાં આવશે અથવા દરરોજ સુનવણી થશે.
જણાવી દઇએ રામજન્મભુમી-બાબરી મસ્જિદ વિવાદ મામલે એક પક્ષકાર ગોપાલ સિંગ વિશારદ ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીથી રિપોર્ટ માંગ્યો હતો. ગુરુવારે મધ્યસ્થતા કમિટીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો. આ પ્રગતિ રિપોર્ટને સુપ્રીમ કોર્ટે પાંચ જજોની સંવિધાન પીઠે જોયો. બેન્ચે મીડિએશન કમિટીને 31 જુલાઇ સુધીનો સમય આપ્યો છે.
પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે પોતાની અરજીમાં કહ્યું હતું કે મધ્યસ્થતા કમિટીના નામ પર વિવાદ ઉકેલાય એવી શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે એમાં તો માત્ર સમય બરબાદ થઇ રહ્યો છે. એટલા માટે કોર્ટ મધ્યસ્થતા કમિટી ખતમ કરીને જાતે જ સુનવણી કરવાના મામલાનું નિસ્તારણ કરે.
ગોપાલ સિંહના વકીલ પીએસ નરસિમ્હાએ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની પીઠની સામે કહ્યું હતું કે આ વિવાદ છેલ્લા 69 વર્ષોથી અટકેલો છે અને મામલાનો ઉકેલ લાવવા માટે શરૂ કરવામાં આવેલી મધ્યસ્થકાનું વલણ સકારાત્મક નજરે આવી રહ્યું નથી. 11 સંયુક્ત સત્ર આયોજિત કરવામાં આવ્યા છે, પરંતુ લાગે છે કે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વિવાદ મધ્યસ્થતા દ્વારા ઉકેલવો મુશ્કેલ છે.
પહેલા શરૂઆતમાં કમિટીના બે મહિના એટલે કે 8 સપ્તાહ આપવામાં આવ્યા. પછી આ મર્યાદા આગળના 13 સપ્તાહ એટલે કે 15 ઓગસ્ટ સુધી માટે વધારી દેવામાં આવી, આ વચ્ચે કોર્ટના ઉનાળાના વેકેશન બાદ ખુલતા જ અરજીકર્તા ગોપાલ સિંહ વિશારદે કોર્ટને કહ્યું કે સમિતિના નામ પર વિવાદ ઉકેલવાના આસાર ખૂબ જ ઓછા છે કારણ કે એમાં તો માત્ર સમય બરબાદ થઇ રહ્યો છે. એટલા માટે કોર્ટ કમિટી ખતમ કરીને જાતે જ સુનવણી કરીને એને નિપટાવો.