ગિસ્સાર સૈન્ય એયરોડ્રોમ અથવા Ayni એરબેસ દેશની રાજધાની દુશાંબેની પાસે એક ગામમાં સ્થિત છે.
ભારતીયોને બચાવવા એર ફોર્સનો પ્રયાસ
Ayni એરબેઝ દેશની રાજધાની દુશાંબેની પાસે
જાણો તેના વિશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ફસાયેલા ભારતીઓને બચાવવા માટે ભારતીય વાયુસેના સતત પ્રયત્નો કરી રહી છે અને આ મિશનમાં એક એવું ઠેકાણુ દુનિયાની સામે આવ્યું છે જેના વિશે પહેલા ક્યારેય આટલી ચર્ચાથી કરવામાં આવી. કાબુલ એરપોર્ટ પર ભારે ભીડના કારણે ભારતીયોને લેવા ગયેલા c-17 એરક્રાફ્ટને પોતાનો રસ્તો બદલવો પડ્યો અને ત્યાં પહોંચ્યું તાઝિકિસ્તાનના ગિસ્સાર સૈન્ય એરોડ્રોમ પર જે વિદેશમાં ભારતનું એકમાત્ર સૈન્ય બેસ છે.
ઘણા વર્ષોનો 'સીક્રેટ' સંબંધ
ગિસ્સાર સૈન્ય એરોડ્રોમ અથવા Ayni એરબેઝ દેશની રાજધાની દુશાંબેની પાસે એક ગામમાં સ્થિત છે. એક રિપોર્ટ અનુસાર તેના વિકાસમાં ભારતના 7 કરોડ ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. તેના પર 3200 મીટરનો આધુનિક રનવે, એર ટ્રાફિક કંટ્રોલ, નેવિગેશન ઉપકરણ અને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે.
જોકે, તેને લઈને બન્ને દેશોની સરકારોએ સાર્વજનિક રીતે ખૂબ વધારે ચર્ચા નથી કરી. તેની સાથે ભારતના જોડાવવાને લઈને ચુપ્પી પણ સાધી છે. જ્યારે અફઘાનિસ્તાન સંકટ વખતે ભારતીય વાયુસેનાએ તેનો ઉપયોગ કર્યો ત્યારે તે પ્રકારમાં આવ્યું.
ભારતે લગાવ્યા કરોડો ડોલર
એક રિપોર્ટ અનુસાર 2001-2002માં ભારતીય વિદેશ મંત્રાલયે અને સુરક્ષા એજન્સિઓએ Ayniમાં આ સૈન્ય બેસના વિકાસનો પ્રસ્તાવ મુક્યો હતો અને પૂર્વ રક્ષામંત્રી જોર્જ ફર્નેડિસે તેનું સમર્થન કર્યું હતું. ભારતીય વાયુસેનાએ એર કમાન્ડર નસીમ અખતરને એરબેઝ પર કામ કરવા કહ્યું. ભારત સરકારે તેના માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની ટીમની મદદ લીધી હતી.
ભારતીય ટીમ ન હૈંગર, ઓવરહોલિંગ અને રીફ્યુલિંગ ક્ષમતા પર પણ કામ કર્યું. રિપોર્ટ અનુસાર એરચીફ માર્શલ ધનોઆને વર્ષ 2005માં આ બેસનું ફર્સ્ટ બેસ કમાન્ડ નિયુક્ત કરવામાં આવ્યું. પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારે ફાઈટર પ્લેન્સની પહેલી વખત આંતરરાષ્ટ્રીય તૈનાતી કરી હતી.
પાકિસ્તાનની હાર
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી તાઝિકિસ્તાન ફક્ત 20 કિમી દૂર છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની નજર તાઝિકિસ્તાનમાં ભારતીય સૈન્ય તૈનાતી પર છે. અફગાનિસ્તાન હોય કે ઈરાન, પાકિસ્તાન ભારતની હાજરીને પોતાના માટે ખતરો સમજે છે. ભારત માટે આ બેસ એટલા માટે વધારે જરૂરી થઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિયાસિન ગ્લેશિયરમાં ભારતને પાકિસ્તાની સૈનિકો ઉપર બઢત મળી શકે છે.
સૂત્રોના હવાલે મળેવી ખબર અનુસાર, 'ભારતીય વાયુસેનાના ફાઈટર તાઝિકિસ્તાનના પેશાવરને નિશાનો બનાવી શકે છે જેનાથી પાકિસ્તાનના સંસોધન ખતરામાં આવી જશે. યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને પૂર્વથી પશ્ચિમમાં જવું પડશે જેનાથી ભારતની સાથે તેનું સુરક્ષામંત્ર કમજોર પડી જશે. '