અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદીને આત્મહત્યા કરનારી આયશાનો એક પત્ર આવ્યો સામે. જે પત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
આયશાના પિતા અને તેમના વકીલે કોર્ટમાં આયશાનો લેટર રજૂ કર્યો
મને માર માર્યો જેથી મારા લિટલ આરૂને વાગ્યું, હવે હું તેની પાસે જઉ છુંઃ આયશા
આયેશાના પતિ આરીફ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી નદીમાં કૂદીને આત્મહત્યા કરનારી આયશાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. લોકો સોશિયલ મીડિયામાં આયશાને ન્યાય અપાવવાની માંગ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરતા રાજસ્થાનના પાલીમાંથી આયશાના પતિ આરિફની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે હવે અમદાવાદની 23 વર્ષીય આયશાને લઇને કેટલાક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ વચ્ચે આયશાના આત્મહત્યા મામલે આયશાના પિતા અને તેમના વકીલે કોર્ટમાં તે લેટર રજૂ કર્યો છે જેને આત્મહત્યા પહેલા આયશાએ પોતાના પતિના નામે લખ્યો હતો. જેમાં આયશાએ સમગ્ર આપવીતી લખી છે.
'પોતાની કરતૂત છુપાવવા માટે મારૂ નામ આસિફ સાથે જોડી દીધું'
આ વચ્ચે શનિવારે આત્મહત્યા મામલે જ્યારે આરિફના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને રજૂ કરવામાં આવ્યો ત્યારે આયશાના પિતાના વકીલ ઝફર પઠાણે કોર્ટમાં આયશાએ લખેલો એક પત્ર રજૂ કર્યો. આ પત્ર આયશાએ આરિફને લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું, 'તે પોતાની કરતૂત છુપાવવા માટે મારૂ નામ આસિફ સાથે જોડી દીધું જ્યારે આસિફ મારા બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઇ છે.'
'મને માર માર્યો જેથી મારા લિટલ આરૂને વાગ્યું, હવે હું તેની પાસે જઉ છું'
પત્રમાં આયશાએ આરિફ દ્વારા પોતાના પર કરવામાં આવેલા અત્યાચાર અંગે પણ લખ્યું છે. આયશાએ લખ્યું કે તે મને 4 દિવસ માટે રૂમમાં બંધ કરી દીધી હતી, ન જમવાનું આપ્યું હતું ન પાણી આપ્યું હતું અને હું તે સમયે ગર્ભવતી હતી. ત્યારે પણ તમે મારી મદદ માટે ન આવ્યા અને જ્યારે આવ્યા તો મને ખૂબ મારવામાં આવી હતી જેના કારણે મારા લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હવે હું તેની પાસે જઇ રહી છું.
'હસતી રમતી બે જિંદગીઓને વિખેરી નાખી'
આ પત્રમાં આયશાએ વધુમાં લખ્યું કે મેં ક્યારે તને દગો નથી આપ્યો, તે હસતી રમતી બે જિંદગીઓને વિખેરી નાખી છે. આઈ લવ યૂ કુકૂ, હું ખોટી નથી પરંતુ તમારો સ્વભાવ જ ખોટો હતો. તમારી આંખોમાં હું ફિદા હતી, પરંતુ કેમ એ હું આવતા જન્મમાં જ બતાવી શકીશ. એટલું લખ્યા બાદ આયશા લખે છે લવ યૂ, યોર વાઇફ આયશા આરિફ.
પૂછપરછમાં આરીફે પોલીસ સમક્ષ કરી કબૂલાત
અમદાવાદની આયશાની આત્મહત્યાનો મામલે દુષ્પ્રેરણાના કેસમાં આજે આયેશાના પતિ(આરોપી) આરિફને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટને કહ્યું કે, હવે તેમની પાસે આરિફ વિરૂદ્ધ જરૂરી પુરાવા છે, જેના કારણે આરિફની પોલીસ કસ્ટડી નથી જોતી અને કોર્ટે આરિફને જ્યૂડિશયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે આયશાને માર મારવાની કબૂલાત કરી છે.
આયશા અને આરિફના મોબાઇલની શરૂ કરાઇ તપાસ
આ સાથે જ આત્મહત્યા મામલે તપાસ કરી રહેલી રિવરફ્રન્ટ પોલીસે આયશા અને આરિફ બન્નેનો મોબાઇલ હાથ લાગી ચૂક્યો છે. હવે પોલીસને એ પત્ર પણ મળી ચૂક્યો છે જેની હવે ફોરેન્સિક તપાસ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
આયશાએ આત્મહત્યા પહેલા પતિ સાથે કરી હતી વાત
આ પહેલા આયશાની આત્મહત્યા મામલે પોલીસને તે 70 મિનીટનું કોલ રેકોર્ડિંગ મળ્યું હતું, જેમાં આયશાએ આત્મહત્યા પહેલા પોતાના પતિ આરિફ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં આરિફ આયશા સાથે વાતચીતમાં કથિત રીતે કહી રહ્યો છે કે તૂ મરી જા અને મરવાનો વીડિયો મને મોકલી દેજે.
અન્ય યુવતિ સાથે પ્રેસ સંબંધ અંગે પોલીસે તપાસ આદરી
આયશાના પરિવારવાળાઓનો પણ આરોપ છે કે આરિફનો કોઇ બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ચાલી રહ્યો હતો. હવે પોલીસ મોબાઇલ ડેટા દ્વારા એ પણ તપાસ કરવામાં જોડાઇ છે કે શું હકિકતમાં આરિફને કોઇ બીજી યુવતિ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને જો ચાલતો હતો તો તે યુવતિ કોણ છે અને શું એજ કારણે આરિફ, આયશાને હેરાન કરતો હતો અને દહેજના રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો. મહત્વનું છે કે, આયશાએ આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો.