અમદાવાદમાં આયેશાના આપઘાત કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, આયેશાના પતિની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં આપઘાત કરનારી આઇશાના પતિની અટકાયત
રિવરફ્રન્ટ પોલીસે આરોપી પતિ આરિફ ખાનની કરી અટકાયત
આવતીકાલે સવાર સુધીમાં આરોપીને અમદાવાદ લઇ પહોંચશે પોલીસ
આયેશાનો પતિ ઝબ્બે
અમદાવાદમાં આયેશા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આયેશાની પતિ આરીફખાનને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનના પાલી ખાતેથી આરીફ ખાનની અટકાયત કરવામાં આવી છે અને આવતીકાલે સવાર સુધીમાં તેને લઈને પોલીસ અમદાવાદ પહોંચશે.
આયેશાના પરિજનોએ કર્યા આક્ષેપ
આયેશાએ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ 3 દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.
'પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા મરી ન જાય તેવો ન્યાય આપો'
આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની સાસુ છે તે મારી બહેનની નણંદ છે. તેમને માઇન્સ ફેક્ટરીને ધંધો છે. તેમના લવ મેરેજ નથી સગામાં જ છે. મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ લઇને આવ્યા હતા. તેનો પતિ પછી લેવા આવ્યો જ નહીં. આઇશાને પતિ અને સાસરિયા પક્ષે ત્રાસ જ આપ્યો છે. અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે, આરીફને સજા અપાવો જેથી આવી બીજી કોઇ આઇશા મરી ન જાય. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એટલે ઝડપી ન્યાય મળી શકે
શું છે આપઘાત કેસ :
અમદાવાદની એક દીકરીએ હસતા મોઢે આ ક્રુર દુનિયાને અલવિદા કહી દીધું. આજની આ 21મી સદીમાં પણ દહેજના લાલચૂઓએ પરીઓની જેમ ઉડવા માગતી આયશા નામની દીકરીને મોત વહાલું કરવા માટે મજબૂર કરી છે. હદ તો ત્યારે થઈ જ્યારે પતિને અંતિમ ફોન કર્યો કે, મને પરત લઈ જાઓ. તો પતિએ કહ્યું તું મરી જા.. અને આઈશાએ તેનું આ મેણું પુરુ કરવા માટે હસતા મોઢે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું.
જે પતિએ ત્રાસ આપ્યો, જે પતિએ પરિવાર પાસેથી લાખો રૂપિયા કરીયાવર માગ્યું, તે અત્યાચારી પતિને પણ પ્રેમના શબ્દો બોલી હસતાં..હસતાં પોતાના દર્દને છુવાપવાની કોશિશ કરતો વીડિયો બનાવીને આઈશાએ જિંદગીને અલવીદા કહી દીધું. આપણે જે કહાનીની વાત કરી રહ્યા છીએ તે અમદાવાદના વટવામાં રહેતી આઈશાની છે. જેણે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. અને આ પાછળનું કારણ બીજા કોઈ નહીં પરતું તે જેને હદથી વધુ પ્રેમ કરતી હતી તે જ તેનો પતિ છે.
આઈશાએ આ વીડિયો પોતાના પતિ સાથે વાત કર્યા બાદ બનાવ્યો હતો. પતિ સાથે વાત કરતા જ્યારે આઈશાએ કહ્યું કે, મને પરત નહીં લઈ જાઓ તો હું મરી જઈ, ત્યારે દહેજના લાલચૂ પતિએ તેને જવાબ આપતા કહ્યું કે તું મરીજા અને તેનો વીડિયો મને મોકલી આપજે.. બસ તેના શબ્દો જ આઈશાને મોતના દ્વારા સુધી લઈ જવા માટે કાફી હતા.. જોકે આઈશાએ આ અંગે પોતાના પિતા સાથે પણ અંતિમ વખત વાત કરી હતી.
આઈશાની પિતા સાથેની આ વાતચીત જ જણાવે છે કે, તે કેટલી હદે તૂટી ચૂકી હતી. જોકે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી ત્યાર બાદ તેના માતા-પિતાએ કોઈ પગલું ન ભરે એ માટે સમજાવી. બાદમાં માતા-પિતા અને તેના ભાઈ તેને શોધવા નીકળ્યાં હતાં. થોડા સમય બાદ આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યાં છે. પરિવાર સાથે પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ પહોંચી. પરંતુ તેઓ પહોંચે ત્યાં સુધીમાં તો આઈશા સાબરમતિમાં સમાઈ ગઈ હતી.