રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે IPLની સિઝનની પહેલી જીત મેળવી. જીત પછી વિરાટે અનુષ્કાના ભરપૂર વખાણ કર્યા. સિઝનની શરૂઆતથી અત્યાર સુધી RCBની ટીમ 6 મેચ હારી છે. જોકે કોહલી અને ડિવિલિયર્સની દમદાર ઇનિંગ્સની મદદથી RCBએ કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટ હરાવીને પ્રથમ મેચ જીતી. મેચ પછી એબી ડિવિલિયર્સ સાથે વાત કરતા વિરાટે ખુલાસો કર્યો કે, ''અનુષ્કા સાથે લગ્ન પછી જીવન સંપૂર્ણપણે બદલાઇ ગયુ છે. ''
કેપ્ટન કોહલીએ કહ્યું, “છેલ્લા એક વર્ષમાં મારી સાથે સૌથી સારી કોઇ ઘટના ઘટી હોય તો તે છે લગ્ન, મારી જિંદગી જ બદલાઇ ગઇ છે. મારી પત્ની અત્યંત સુંદર છે અને શાનદાર વ્યકિત્વ ધરાવે છે. મારા જીવનનું આ સૌથી મજબૂત પાસું છે જેણે મને બદલ્યો. લગ્ન પહેલા જીવનમાં હું ખૂબ આક્રમક હતો. અનુષ્કાએ મને પ્રોત્સાહિત કર્યો અને સકારાત્મક રાખ્યો. અમે બંને સારો સમય વિતાવીએ છીએ. અનુષ્કા સાથે હોઉ ત્યારે હુ રમતથી દૂર રહુ છુ. હું ભાગ્યશાળી છું કે મને અનુષ્કા જેવી લાઇફ પાર્ટનર મળી છે. જે મને સારી રીતે સમજે છે. મારુ ધ્યાન તેની સાથે સમય વિતાવવા પર છે અને આ જ કારણે હુ સ્વિચ ઓફ થઇ જાઉ છું.''
પોતાની જિંદગીમાં અનુષ્કાનો કેટલો પ્રભાવ છે તે વિશે વાત કરતાં કોહલીએ જણાવ્યુ , ''અમુક બાબતોને સામાન્ય રાખીએ તો ઝાઝી ખુશી મળે છે. અમને બંનેને ખબર છે કે અમે હંમેશાથી લોકોની નજરોથી ઘેરાયેલા છીએ તેમ છતાં અમે સાથે સમય વિતાવવાની તક ગુમાવતા નથી.''
આ મહિનાની શરૂઆતમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બેંગલુરુમા એબી ડિવિલિયર્સના પરિવાર સાથે મસ્તીભર્યો સમય વિતાવ્યો હતો. મેચ વિશે વાત કરતાં વિરાટે કહ્યું, “આજની રાત વિશેષ છે. અમને ખબર છે કે 6 મેચ હાર્યા પછી કઇ સ્થિતિમાંથી પસાર થયા છીએ. અમે સતત વિચાર-વિમર્શ કર્યો કે ટીમ કઇ રીતે જીત અપાવી શકાય, અને આખરે જીત મેળવી.''