પહેલા બે નાગરિકોની હત્યા અને હવે આતંકીઓનું બીજી એક ષડયંત્ર
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં આંતકીઓએ જાહેરમાં બે નાગરિકોની હત્યા કરી નાખી છે. ત્યારપછી સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પણ ઘટનાના કલાકો બાદ પણ હજી સુધી આંતકીઓની મળી શક્યા નહોતા. ઘટના ક્રમ અનુસાર આ આતંકીઓએ ત્યાંનાં બે નાગરિકો પર ગોળી ચલાવી હત્યાને અંજામ આપ્યો હતો અને ઘટના સ્થળે જ બંનેના મોત થયા હતા. પોલીસે આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, 19 વર્ષીય સંજીદ અહમદ પરે અને શાહનવાઝ ભટ્ટ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે તેમના પર આ હુમલો થયો હતો. બંનેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા પણ ત્યાં ડોક્ટરે બંનેને મૃત ઘોષિત કર્યા. આ પછી બંને આંતકીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આજે હવે બીજી મોટી ઘટના બનવા જવાની હતી
જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં મૂકવામાં આવેલ IID(ઇમ્પરોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવ્યું છે. પણ જેને બોમ્બ સ્કવોડે નિષ્ક્રિય કરી નાખ્યું છે. આ સામગ્રીની સૂચના સ્થાનિક પોલીસને મળી હતી. સૂચના મળતા જ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી. સાથે જ ત્યાંનાં સ્થાનિક લોકોને પણ સૂચિત કરી દેવામાં આવ્યા હતા.
10 લિટરના કન્ટેનરમાં ઇમ્પરોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ
આ સાથે જ ત્યાં 10 લિટરની ક્ષમતા ધરાવતું એક કન્ટેનર મળ્યું હતું. જેમાં ઇમ્પરોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ. જેને સમય સૂચકતા રાખીને નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યું. જેનાથી ઘણી મોટી ઘટના ટળી ગઈ હતી. હવે આ વિશે સંપૂર્ણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.