શરીરની એનર્જી ઓછી થવા પર તમારો મૂડ પણ પ્રભાવિત થાય છે. ભૂખ ન લાગવા પર તમને ગુસ્સો પણ આવે છે પરંતુ ઉતાવળમાં ખાલી પેટ આ કામ ન કરતા નહીતર નુકસાન થઇ જશે.
ખાલી પેટ કેટલાક કામ ન કરવા જોઇએ
ભૂખ્યા પેટે શરીરમાં ઉર્જા ઓછી હોય છે
ગંભીર નિર્ણય લેવામાં ધ્યાન રાખવું
સામાન્ય રીતે સમયની અછતના કારણે આપણે ભૂખને ઇગ્નોર કરી દઇએ છીએ અને પોતાને કામમાં વ્યસ્ત રાખીએ છીએ પરંતુ બાદમાં ગંભીર પરિણામ પણ ભોગવવા પડે છે.
ગંભીર નિર્ણય ન લો
સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભૂખ્યા હોવા પર વ્યક્તિ સાચો નિર્ણય નથી લઇ શકતી. ભૂખના કારણે વિચારો નથી આવતા અને તમે આવેગપૂર્ણ નિર્ણયો લઇ શકો છો. બાદમાં તે નિર્ણયનો ઘણો પસ્તાવો થાય છે માટે ભૂખ્યા હોવા પર નિર્ણય ન લેવો.
પાર્ટનર સાથે ઝઘડો
તમે તમારા પાર્ટનરથી ગમે તેટલા નારાજ હોવ પરંતુ જ્યારે પણ તમે ભૂખ્યા હોવ તો તેની સાથે ઝઘડો ન કરવો જોઇએ. તેના કરતા થોડો સમય કાઢીને નાસ્તો કરી લેવો તે બાદ બંનેએ શાંતિથી વાત કરવી જોઇએ. ભૂખ્યુ મગજ વિચારવા માટે સમર્થ હોતુ નથી.
શોપિંગ ન કરો
જો તમે કરિયાણાનો સામાન ખરીદવા જઇ રહ્યાં છો તો કંઇક ખાઇને જાઓ કારણકે રિસર્ચ અનુસાર ભૂખ્યા લોકો વગર કામનો સામાન પણ ખરીદી લે છે. તે ખિસ્સાને પણ ભારે પડે છે.
એક્સરસાઇઝ ન કરો
કેટલાક લોકોને એવુ હોય છે કે ખાલી પેટ એક્સરસાઇઝ કરવાથી ફાયદો થાય છે પરંતુ તે ખોટી વાત છે. ખાલી પેટ વર્કઆઉટ કરવાને કારણે તમારુ પફોર્મન્સ ખરાબ થઇ શકે છે. સાથે જ ઓછી ઉર્જા હોવાને કારણે ઇજા થવાના ચાન્સ પણ વધી જાય છે.
મસાલેદાર ભોજન ન ખાઓ
ખાલી પેટ મસાલેદાર ભોજન ખાવાથી પેટમાં બળતરા થાય છે અને એસીડીટી થવાની સંભાવના પણ વધી જાય છે. સૌથી પહેલા ફળ કે એવું કંઇ ખાઇ લેવુ જોઇએ જેથી તમારા ખાલી પેટમાં વજન થાય બાદમાં તમે મસાલેદાર ખાઇ શકો છો.