સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ પર મોટું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખે કહ્યું કે, લોકોએ રાષ્ટ્રવાદ શબ્દથી જ દૂર રહેવું જોઈએ. આવું કહેવા પર તેમણે એવું તારણ આપ્યું કે, રાષ્ટ્રવાદ શબ્દમાં હિટલરની ઝલક જોવા મળે છે. જોકે મોહન ભાગવતના આ નિવેદન પર હાલ રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પર વિપક્ષો મોદી સરકારને ઘેરી રહ્યા છે.
રાષ્ટ્રવાદ પર સંઘ પ્રમુખની સલાહ
'રાષ્ટ્રવાદ' પર ઘેરાતું રાજકારણ
'રાષ્ટ્રવાદ'માં ભાગવતને દેખાય છે હિટલર!
મોહન ભાગવતના આજ નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે. કારણ કે એક તરફ મોદી સરકાર રાષ્ટ્રવાદની વાતો કરે છે. જ્યારે બીજી તરફ સંઘના વડા રાષ્ટ્રવાદને હિટલર સાથે સરખાવી રહ્યા છે અને રાષ્ટ્રવાદથી બચવાની સલાહ આપી રહ્યા છે. જોકે ભાગવતના આ નિવેદન પર રાજકીય પક્ષોએ હવે મોદી સરકારનો જ ઘેરાવ શરૂ કરી દીધો છે.
અહીં વિપક્ષો ભાજપના સાશનની હીટલર સાશન સાથે સરખામણી કરી રહ્યા છે. જોકે મોહન ભાગવતનું આ પ્રકારનું નિવેદન સામે આવે ત્યારે સ્વાભાવિક છે કે, વિપક્ષોને મુદ્દો ઉછાળાવાની તક તો મળવાની જ છે. પરંતુ અહીં એ જાણવું પણ આવશ્યક છે કે, બે દિવસ પહેલા જ ભાગવતે ગાંધીજીની પ્રશંસા કરી હતી અને મહાત્માને કટ્ટર સનાતની હિન્દુ પણ ગણાવ્યા હતા.
સાથે જ કહ્યું હતું કે, ગાંધીજીનો વિરોધ કરનારા પણ તેમના પર સવાલ ઉઠાવી શક્તા નથી. જોકે ક્યાંકને ક્યાંક એવું પણ લાગ્યું કે, સંઘ અને ભાગવત ભાજપથી નારાજ છે. કારણ કે, ભાજપના અનેક નેતાઓ ગોડસેને મહાન બનાવવાની વાતો પણ કરી ચૂક્યા છે. ભારત-પાકિસ્તાનની વાતો કરી ચૂક્યા છે. CAA અને NRC વિરોધ પર બફાટ કરી ચૂક્યા છે. તેવામાં સંઘ નારાજ થાય તે સ્વાભાવિક છે. તેવામાં રાષ્ટ્રવાદ પર માહોલ ગરમાયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, રાષ્ટ્રવાદ પર ગરમાતા રાજકારણનો અંત ક્યારે આવશે.