હિંદુ ધર્મમાં અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કર્યાના 10 દિવસ બાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ 10 દિવસ તેમની પૂજા અર્ચના કરાય છે. ગણેશ વિસર્જન ભક્તો માટે ભાવુક સમય હોય છે. બાપ્પાની વિદાય સમયે તેમનું મન ભારે થાય છે. આ સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જો તમે આ ભૂલો ટાળો છો તો તમને ગણેશપૂજાનું ફળ મળે છે.
ગણેશ વિસર્જનમાં ન કરો આ ભૂલો
વિસર્જનમાં થતી ભૂલથી થાય છે મોટું નુકસાન
બાપ્પાને શ્રદ્ધા સાથે કરો વિદાય
ગણેશ વિસર્જનમાં ધ્યાન રાખો આ વાતો
ગણેશજીની પ્રતિમા સાથે સંકળાયેલી કોઈ પણ ચીજોને ફેંકો નહીં.
આ તમામ સામગ્રીને સન્માન સાથે ધીરે ધીરે વિસર્જિત કરો, તે શુભ માનવામાં આવે છે.
ગણેશ વિસર્જન સમયે આરતી અચૂક કરો.
ગણેશજીના 10 દિવસની સેવામાં થયેલી ક્ષમા માટે બાપ્પા પાસે માફી માંગો.
ગણેશજીની ચોકીનું ધ્યાન રાખો અને તેને ગંગાજળથી સાફ કરો.
ગણેશ વિસર્જન સમયે કોઈ પણ પ્રકારનો નશો ન કરો.
વિસર્જન સમયે મન શાંત રાખો. તમારી એક ભૂલથી ગણેશજી નારાજ થઈ શકે છે.