કોરોનાની ત્રીજી લહેરને લઈને વિશેષજ્ઞો ચેતવણી આપી રહ્યા છે ત્યારે કોરોનાને લઈને બેદરકારી રાખવી ભારે પડી શકે છે. ભૂલથી પણ કેટલીક ભૂલો કરવાનું ટાળો તે જરૂરી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈને વિશેષજ્ઞોની ચેતવણી
જલ્દી જ આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
જાણો કઈ ભૂલો કરવાથી લોકોએ બચવું જરૂરી
કોરોનાના કેસ ભલે થોડા ઓછા થયા હોય પણ તે આપણી વચ્ચેથી ખતમ થયો નથી. પહેલી અને બીજી લહેરના કહેર બાદ ત્રીજી લહેર પણ જલ્દી આવવાની આશંકા છે ત્યારે વિશેષજ્ઞો ખાસ ચેતવણી આપી રહ્યા છે. તેમ છતાં કોરોનાને લઈને લોકો બેદરકારી દાખવી રહ્યા છે. કોરોનાના નિયમોનું પાલન ન કરવાના કારણે જલ્દી કેસ વધી શકે છે. તો જાણો લોકોએ કોરોનાના કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
માસ્ક ન પહેરવું
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ આવ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા લોકોને ડબલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે લોકો એક માસ્ક પણ પહેરતા ન હતા. કેટલાક લોકો ગળામાં માસ્ક પહેરે છે. તો આ ભૂલ કરવાથી બચો. આ યોગ્ય નથી. સર્જિકલ માસ્ક, એન 95 માસ્ક કે કપડાનું માસ્ક પહેરવું યોગ્ય છે.
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું
કોરોનાને ઈગ્નોર કરતા લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. માર્કેટ, મોલ, ઓફિસ અને પબ્લિક સ્પેસ્માં કે ટ્રાન્સપોર્ટેશનમાં બેદરકારી જોવા મળી રહી છે. જો તમે પોતાને અને પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો તે ખાસ જરૂરી છે.
હાથ સાફ ન રાખવા
ફક્ત કોરોનાથી નહીં પણ કોઈ પણ વાયરસથી બચવા માટે હાથની સફાઈ જરૂરી છે. તેનું પાલન યોગ્ય રીતે કરીને બચી શકાય છે. આ સાથે બહારના ખાવા પીવાના નિયમોનું પાલન નથી કરતા તો પણ ચેતી જવાની જરૂર છે. નહીં તો આ નાની ભૂલ ભારે પડી શકે છે. હાથ ધોતા રહો અને સેનેટાઈઝરની આદતને પણ ભૂલશો નહીં. જો તે સાબુનો ઉપયોગ ન કરો તો સેનેટાઈઝર યૂઝ કરો તે જરૂરી છે.