રાતના સમયમાં પણ ઘણા લોકો સ્વેટર પહેરીને જ સૂઈ જતાં હોય છે. પણ આ ટેવ તમને નુકસાન પહોંચાડી શકે છે.
રાતના સમયે સ્વેટર પહેરીને ન સુતા
થઈ શકે છે મુશ્કેલીઓ
જાણો તેના વિશે
ભારતમાં અત્યારે ગુલાબી ઠંડી પડી રહી છે અને હાડ થિજવતી ઠંડીથી બચવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. એવામાં રાતના સમયમાં પણ ઘણા લોકો સ્વેટર પહેરીને જ સૂઈ જતાં હોય છે. પણ આ ટેવ તમને નુકસાન પહોંચાડી શકે છે.
સ્વેટર પહેરીને સૂવું હિતાવહ નહીં?
ઉનનાં કપડામાં ફાઈબર જાડું હોય છે જેના કારણે શરીરની ગરમી બહાર જઈ શકતી નથી. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનાં દર્દીઓને તો ખાસ સ્વેટર પહેલીને સૂવું જોઈએ નહીં.
રેશિઝ થઈ શકે
રાતે સ્વેટર પહેરીને સુવાથી શરીરમાં ખંજવાળની સમસ્યા, એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે અને ચામડી પણ રૂખી થઈ શકે છે.
શ્વાસ ચડવો
ગરમ કપડાં પહેરવાથી રાતે સુવામાં કેટલાકને ગભરામણની સમસ્યા પણ થઈ શકે છે કારણ કે તેનાથી ઑક્સીજનમાં તકલીફ પડે છે. આવું કરવાથી બેચેની પણ થઈ શકે છે.
બીપી થઈ શકે છે લૉ
રાતે ગરમ કપડાં પહેરવાથી બ્લડ પ્રેશર પણ લૉ થઈ શકે છે અને અચાનક પરસેવો વળવા જેવી સમસ્યા થઈ શકે છે. હાર્ટનાં દર્દીઓને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્વેટર પહેરીને ન સુવે.