નેચર જર્નલમાં પ્રકાશિત લેટેસ્ટ સ્ટડીમાં એવું જણાવાયું છે મેદસ્વિતાથી પીડાતા લોકો માટે કોરોના વધારે ઘાતક છે.
નેચર જર્નલમાં પ્રકાશિત લેટેસ્ટ સ્ટડીમાં મોટો દાવો
મેદસ્વિતાથી પીડાતા લોકો માટે કોરોના વધારે ઘાતક
1.26 કરોડ લોકો પર હાથ ધરાયો સ્ટડી
અમુક બીમારી કે સ્થિતિ એવી હોય છે જે કોઈ પણ સ્થિતિમાં ઘાતક બની રહેતી હોય છે અને તેનાથી સાચવવા જેવું હોય છે. આવી જ એક સ્થિતિ છે સ્થૂળતા (શરીરમાં ચરબીના મોટા થર) જે કોરોના કાળમાં વધારે ઘાતક બનીને બહાર આવી હોવાની વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે. કયા લોકો પર કોરોના સૌથી વધારે ઘાતક બને તેને લઈને એક મોટા સ્ટડીમાં ચોંકાવનારા પરિણામ બહાર આવ્યાં છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીસેસ્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દક્ષિણ એશિયામાં રહેતા અને મેદસ્વિતાથી પીડિત લોકો માટે કોરોના સૌથી વધારે ઘાતક છે.
કયા લોકો માટે કોરોના ઘાતક અને મોતનો બમણો ખતરો
મેદસ્વિતાથી પીડાતા લોકો માટે કોરોના અત્યંત ઘાતક છે અને આવા લોકોને તેનાથી મોતનો બમણો ખતરો રહેતો હોય છે તેવું બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીસેસ્ટરના વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકોએ લોકોને મેદસ્વિતાથી બચતા રહેવાની સલાહ આપી છે.
લેટેસ્ટ સ્ટડીના મહત્વના તારણો
મેદસ્વીતા અને મૃત્યુ વચ્ચે કોરોના વચ્ચેના જોડાણને સમજવા માટેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંશોધન છે.
આ સંશોધન યુકેમાં કોરોના સામેના રસીકરણ પહેલા શરૂ થયું હતું. ડિસેમ્બર 2020થી દેશમાં રસી મળવાની શરૂઆત થઈ હતી અને આ સંશોધન જાન્યુઆરી 2020માં જ શરૂ થયું હતું.
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ હેલ્થ રેકોર્ડ, નેશનલ સેન્સસ અને 12.6 કરોડ લોકોના મૃત્યુદર જેવા ડેટાની તપાસ કરી હતી.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોરોનાવાયરસથી મેદસ્વી લોકોમાં મૃત્યુનું જોખમ વધારે છે.
જો આપણે વંશીયતાની વાત કરીએ તો દક્ષિણ એશિયાના મેદસ્વી લોકોને કોરોનાથી સૌથી વધુ જીવનું જોખમ રહે છે.
વૈજ્ઞાનિકોના મતે કોરોનાથી મોતમાં અશ્વેત લોકો બીજા નંબરે આવે છે.
જે વંશીયતા લોકોને કોરોનાથી મૃત્યુનું સૌથી વધુ જોખમ હોય છે તેમાં પોષણની ઉણપ જોવા મળી છે
હાવર્ડ યુનિવર્સિટી અનુસાર આ 5 ટિપ્સ ફોલો કરીને તમે વજન ઘટાડી શકો છો અને મેદસ્વિતાની સમસ્યાથી દૂર રહી શકો છો.
જંક ફૂડને અડશો નહીં અને તંદુરસ્ત આહાર લો. ખોરાકમાં આખા અનાજ, બદામ, બીજ, ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
કસરત કરવાનું ટાળો નહીં. તમારા શરીરને દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ આપો.
સમયસર ઊંઘ પૂરી કરો. વધારે કે ઓછું ઊંઘવાથી પણ શરીર પર ખરાબ અસર પડે છે. તમારા શરીરની ઘડિયાળને સમજો.
તણાવ દૂર રાખો. તણાવમુક્ત જીવન જીવતા શીખો. મગજ પર વધુ પડતું દબાણ લાવવાથી પણ સ્થૂળતાની સમસ્યા સર્જાય છે.