હોલિકા દહન 28 માર્ચ 2021ના દિવસે વિધિ વિધાન અનુસાર ઉજવવામાં આવશે. બીજા દિવસે ધૂળેટીનો તહેવાર છે.
હોળી દહન ભારતમાં મહત્વનો તહેવાર
બે દિવસ ઉજવવામાં આવે છે તહેવાર
તે દિવસે કેટલીક ભૂલો કરવાથી બચો
હિન્દુ સંસ્કૃતિમાં હોળીના તહેવારને બે દિવસ ઉજવવામાં આવે છે. તહેવારની શરૂઆત હોળિકા દહનથી થાય છે. હોલિકા દહન અને પૂજા કરવાનુ મહત્વ પુરાણોમાં પણ છે. એવું માનવામાં આવે છે કે હોળીની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મી ઘરમાં વિરાજમાન થાય છે અને શાંતિનો વિસ્તાર થાય છે.
કેવી રીતે કરશો હોળીકા દહન
હોળિકા પૂજા બાદ પુનઃ જળ અર્પિત કરો. તેના સાત ફેરા ફરો અને કંકુ ચોખાથી પૂજા કરો. ગુજરાતમાં કહેવામાં આવે છે કે હોળીનો તાપ શરીરને અડે તો આખુ વર્ષ બિમારી દૂર રહે છે. પિડા અને બિમારીમાંથી મુક્તિ મળે છે.
હોલિકા દહનના દિવસે શું ન કરવુ
હોલિકા દહનના દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.
હોળિકા દહનના દિવસે ભૂલથી પણ સફેદ ખાદ્ય પદાર્થનું સેવન ન કરો
પૂજા કરતી વખતે માથુ ઢાંકીને જ પૂજા કરવી જોઇએ
નવવિવાહીત મહિલાઓએ હોલિકા દહન ન જોવુ જોઇએ
હોલિકા દહનના દિવસે કોઇ શાંતિ વાળી સુમસાન જગ્યા કે સ્માશન જેવી જગ્યાએ જવાનુ અવોઇડ કરવું જોઇએ.