કોરોનાકાળમાં હાલ લોકો જાત-ભાતના નુસખાઓ અપનાવી રહ્યાં છે. આવામાં લોકો ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરફ પણ વળ્યાં છે. આવામાં ઘણી વખતે અમુક વસ્તુઓનો અતિરેક થઈ જતો હોય છે તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.
કોરોનાકાળમાં પહેલુ સુખ તે જાતે નર્યા
આર્યુવેદ ઍક્સ્પર્ટે આપી કેટલીક હેલ્થ ટીપ્સ
ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા કરી અપીલ
VTV સાથેની ખાસ વાતચીતમાં આર્યુવેદ ઍક્સ્પર્ટ ડૉ. ભવદીપ ગણાત્રાએ આ જ બાબતે કેટલીક સલાહ આપી હતી. તેમણે ખાસ કરીને શરીર રચના કેવી છે અને તેને આધારે દરેક વ્યક્તિએ નુસ્ખાઓ અપનાવવા જોઈએ.
ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા
તેમણે આ દરમ્યાન સૌથી વધારે ભાર ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા પર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાકાળમાં લોકોએ ખાટા ફ્રૂટ્સ ખાવાનું વધારી દીધું છે. જો કે ફ્રૂટ્સ ખાવા સારી બાબત છે પરંતુ લોકો ઉનાળાની ગરમીમાં તેને ઠંડા કરીને ખાય છે તે નુકસાનકારક છે.
ઠંડા પદાર્થોને કારણે કફ જામી જાય અને પરિણામે વધી શકે છે મુશ્કેલી
તેમણે કહ્યું હતું કે હાલનાં સમયમાં ઠંડા પીણા, પાણી, આઈસ્ક્રીમ, ઠંડી છાસ અને દહીં જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. કારણકે આ ઠંડા ખાટા ફ્રૂટ્સ અને ઠંડી વસ્તુઓ ખાવાથી શરીરમાં જે કફ રહેલો છે તે સરળતાથી નીકળવાનો હોય તે ઠંડાને કારણે જામી જાય છે અને નીકળતો નથી. પરિણામે તકલીફ વધી જાય છે. ત્યારે ભવદીપ ગણાત્રાએ આ બાબતે વધુ શું કહ્યું તે જુઓ વીડિયોમાં...