દિવાળીના દિવસોમાં માં લક્ષ્મીની કૃપા આપણા પર વરસે તે જરૂરી હોય છે. આ દિવસે તમારી એક નાનકડી ભૂલ પણ માં લક્ષ્મીને નારાજ કરી શકે છે. પૂજા દરમિયાન માંને પ્રિય અને અપ્રિય વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
દિવાળીની રાત્રે ન કરો આ 4 બાબતો
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા રાખો ધ્યાન
નાનકડી ભૂલ પણ માં ને કરી શકે છે નારાજ
હિન્દુ તહેવારોમાં સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે દિવાળી. આ વર્ષે દિવાળી 24 ઑક્ટોબરનાં રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે નાની અને મોટી દિવાળી બંને એકસાથે એક જ દિવસે ઉજવવામાં આવશે. એક માન્યતા અનુસાર દિવાળીના શુભ પર્વે ખાસ કરીને રાત્રીના સમયમાં માં લક્ષ્મી ધરતી પર પોતાનાં ભક્તોની વચ્ચે રહે છે અને તેમની ભક્તિથી પ્રસન્ન થઇ તેમના ઘરોમાં વાસ પણ કરે છે. તેથી માં લક્ષ્મીની પસંદ - નાપસંદ અને અનૂકુળ બાબતો વિષે જાણી લેવાથી માં ને પોતાના ઘરમાં પ્રસન્ન રાખી શકાય છે.
દિવાળી પર માદક દ્રવ્યોનું સેવન ત્યજવું
દિવાળીનો દિવસ અતિ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો માં લક્ષ્મીની પૂજા કર્યાં બાદ ઘરમાં જ કે મિત્રો સાથે દારૂ- શરાબ વગેરેનું સેવન કરે છે. આ દ્રવ્યોનું સેવન ભૂલથી પણ દિવાળીની રાત્રે કરવું જોઇએ નહીં. માન્યતા અનુસાર માં લક્ષ્મી સાત્વિક ઘરોમાં જ પ્રવેશ કરે છે. તેથી ઘરનો માહોલ પવિત્ર રાખવો.
જુગાર ન રમવું
મોટાભાગે લોકો રાતે પૂજા વગેરે કર્યાં બાદ ઘરમાં જુગાર રમતાં હોય છે. કેટલાક સ્થળોએ તો આ એક પરંપરાના રૂપે કરવામાં આવે છે. પરંતુ દિવાળીના દિવસે જુગાર રમવું શુભકારી નથી. કહેવામાં આવે છે કે જુગારનાં કારણે મહાભારતનું યુદ્ધ થયું હતું અને આ કારણે જ પાંડવોને વનમાં નિવાસ કરવો પડ્યો હતો. દિવાળીનાં દિવસોમાં જુગાર રમવાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
સ્ત્રીની સાથે સંબંધ
શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ. તો દિવાળીની રાત્રે પતિ-પત્નિએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઇએ. માન્યતા અનુસાર માં રાત્રે ધરતી પર ભ્રમણ કરે છે અને ઘરોમાં જાય છે. તેવામાં પવિત્રતા અને શુદ્ધતાનું હોવું જરૂરી છે.
માસ વગેરેનું સેવન ત્યજવું
દિવાળીનીરાત્રે માં લોકોના ઘરમાં પ્રવેશ કરે છે તેથી ભૂલીને પણ તામસિક ભોજન અને માંસ વગેરેનું સેવન ન કરવું. માં લક્ષ્મી એવા ઘરોમાં બિલકુલ પ્રવેશ નથી કરતી જ્યાં આ રીતનું ભોજન કરવામાં આવતું હોય. માં લક્ષ્મી આવા ઘરોમાંથી તરત વિદાય લે છે.