આયુર્વેદમાં જમ્યા બાદ કેટલાક કાર્યો કરવાનું નિષેધ ગણાવાયુ છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આ તો હેલ્થ સારી રહે છે. જમ્યા પછી શું ન કરવુ તે વિશે હેલ્થ જર્નલમાં જણાવવામાં આવ્યુ છે.
- જમ્યા બાદ ફ્રુટ્સ ન ખાવા. જમવાના અંશોમાં એ ભળી જતા આંતરડા સુધી પહોંચવામાં વિલંબ કરે છે અને ખોરાકને દુષિત કરે છે. જમતા પહેલા એક દોઢ કલાકનો ગાળો હોય ત્યારે જ્યુસ કરતા પણ ફ્રુટ્સ સમારીને વાપરવું. જમ્યા પછી હોજરીમાં ગરમ પાચક રસો ભળતા હોવાથી મોં પણ ધોવું નહીં. ઠંડુ પાણી પણ પીવું નહીં.
- જમ્યા પછી તરત ક્યારેય સ્મોકિંગ ન કરવુ, જમ્યા બાદ તરત એક સિગારેટ દસ સિગારેટ જેટલું નુકશાન કરે છે. આવા લોકોને કેન્સર થવાના ચાન્સ પણ વધે છે તેવું એક રિસર્ચમાં સાબિત થયું છે.
- જમ્યા પછી ક્યારેય ચા ન પીવી જોઇએ. ચા પીવાથી હોજરીની સ્થિતિસ્થાપકતા બરડ થઇ જાય છે. જો ચાના રસિયા હોય તો વાંધો નહીં, પરંતુ જમ્યા પછી તો ન જ પીવી કેમકે તેમાં એસિડ હોય છે જે જમવાના પ્રોટીનને સખત કરે છે અને પાચનશક્તિને નબળી પાડે છે.
- જમ્યા પછી બેલ્ટ લુઝ ન કરવો જોઇએ. એવું કહેવાય છે કે જેની કમરની રેખા મોટી તેની આયુષ્યની રેખા ટુંકી. બેલ્ટ લુઝ કરવાથી સારું ભોજન અને વધારે ખાવાનું મન થાય છે.આહારને ઔષધની જેમ વાપરવું જોઇએ.
- જમ્યા પછી શરીર ઠંડુ ન થવું જોઇએ તેથી સ્નાન ન કરાય અને આઇસક્રીમ તો બિલકુલ ન ખવાય. સ્નાન કરવાથી લોહી હાથ પગ અને શરીરમાં ફરે છે તેથી હોજરીને લોહીની જરુર હોય છેતે પ્રાપ્ત થતું નથી.
- જમ્યા પછી ચાલવું નહીં. જમ્યા પછી સુવું નહીં. જમ્યા બાદ ધરમાં ને ઘરમાં જ 200 ડગલા સુધી ચાલી શકાય, પરંતુ બહાર જઇને ચાલવું કે દોડવું નહીં. જમ્યા બાદ બપોરે વામકુક્ષી ઠીક છે, પરંતુ ઘસઘસાટ સુવું નહીં. જમીને તરત કામ કરવું નહીં.
- રાત્રે જમવું નહીં. જમ્યા પછી તરત સુઇ જવાથી અપચો અને આંતરડામાં ઇન્ફેક્શન અને ગેસની તકલીફ થાય છે તેથી જમવા અને સુવા વચ્ચે ત્રણ કલાકનો ગેપ રાખવો.