ઉત્તરાયણને પગલે રસ્તા પર ઉડતા પતંગ અને દોરાનએ લઈને અકસ્માતનું જોખમ વધતું હોય છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને અપીલ કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને કરી અપીલ
ઉત્તરાયણ પર્વ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સંઘવીની અપીલ
રસ્તા પર જોવા મળતા પતંગ અને દોરાથી થાય છે અકસ્માત
ઉત્તરાયણ પર્વને હવે આંગળીના ટેરવે ઘણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. જે પર્વને લઈને રાજ્યના તમામ શહેરોમાં મોટા પાયે લોકો પતંગ ઉડાવતા હોય છે. બીજી તરફ પતંગની દોરીને લઈને અકસ્માતો પણ વધતા હોય છે. આ મામલે સરકાર પણ ચિંતિત છે. જેમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવ દ્વારા ગુજરાતની પ્રજાને અપીલ કરવામાં આવી છે. જેમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા આહવાન કરાયુ છે.
ઉત્તરાયણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરીએ અને સલામત રહીએ.
રસ્તાઓ પર જોવા મળતા પતંગ અને દોરાને કારણે અનેક વખત બાઇકચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં અમુક કિસ્સાઓમાં ગંભીર ઇજા તો અમુક કિસ્સાઓમાં મોત પણ થતા હોય છે ત્યારે ગૃહ મંત્રીએ લોકોની સલામતીને ધ્યાને લઇ મેટ્રો ટ્રેન, એસટી,BRTS, રેલવે ,ટેક્સી અને ઓટો વગેરે જેવા વાહનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું કે ઉત્તરાયણમાં રસ્તાઓ પર એકાએક જોવા મળતા પતંગ અને દોરાને લઈને મુસાફરોને અકસ્માત નડતા હોય છે ત્યારે ઉત્તરાયણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરીએ અને સલામત રહીએ.
સરકારે સંતોષજનક સોંગદનામું રજૂ ન કરતા હાઇકોર્ટ આકરા પાણીએ
ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવી જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી ફટકારી વરસાવી છે. સરકારે સંતોષજનક સોંગદનામું રજૂ ન કરતા હાઇકોર્ટ આકરા પાણીએ થઈ હતી સરકારે કયા પગલા ભર્યા તેની વિગત સાથે ગૃહ વિભાગને નવેસરથી સોંગદનામું દાખલ કરવા આદેશ કરવામા આવ્યો છે. મીડિયામાં જાગૃતિ ફેલાવવા પણ સરકારને હાઇકોર્ટએ આદેશ આપ્યો છે. જેને લઈને હવે આવતીકાલે ગુજરાત સરકાર નવું સોંગદનામું રજૂ કરશે.