કોંગ્રેસમાંથી બળવો કર્યા પછી સચિન પાયલોટે કોંગ્રેસ સામે કેટલીક શરતો મૂકી હતી. જે બાદ સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી અને પોતાના તેવરને બાજુમાં મૂકી હવે ફરીથી કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા છે. જો કે પાયલટે ઘરવાપસી માટે મૂકેલી શરત પર કોંગ્રેસ હાઈકમાન્ડે ઍક્શન લેતા જ સૌપ્રથમ રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી બદલ્યા છે.
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ હવે ખતમ થઈ ગયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની કોંગ્રેસ સરકારને બચાવવામાં સફળ રહ્યા છે. પરંતુ એ જ સમયે અવિનાશ પાંડેને બદલે કોંગ્રેસે અજય માકનને રાજસ્થાનના પ્રભારી પદે નિયુક્ત કર્યા છે. આ સાથે ત્રણ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે.
Press Releases regarding appointment of G.S. Rajasthan & 3 Member Committee approved by Hon'ble Congress President
1. Appointment of General Secretary In-charge of Rajasthan
2. Three Member Committee to oversee & follow up the smooth resolution of recent issues in Rajasthan pic.twitter.com/mqW97Qa0Ad
કોંગ્રેસમાંથી બળવો કર્યા પછી સચિન પાયલોટે કોંગ્રેસ સામે કેટલીક શરતો મૂકી હતી. જે બાદ સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી અને પોતાના બળવાખોર વલણને બાજુએ મૂકી ફરીથી કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા છે. આ સાથે જ કોંગ્રેસે પણ સચિન પાયલોટની માંગણીઓ અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સચિન પાયલોટની માંગણીઓ સાંભળીને રાજસ્થાનમાં ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ ત્રણ સભ્યોની સમિતિમાં અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકનનો સમાવેશ થાય છે. અજય માકનને રાજસ્થાનના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
આ સાથે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ એક ટ્વીટ કર્યું છે. પાયલોટે કોંગ્રેસની ત્રણ સભ્યોની સમિતિની નિમણૂક બદલ આભાર માન્યો હતો. પાયલોટે કહ્યું છે કે, રાજસ્થાનમાં સંકલન માટે અહમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકનની રચનામાં ત્રણ સભ્યોની કમિટીની નિમણૂક કરવા બદલ કોંગ્રેસના નેતૃત્વના આભારી છે. મને વિશ્વાસ છે કે સમિતિના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનમાં સંગઠનને નવી શરત અને દિશા મળશે.
राजस्थान में समन्वय स्थापित करने के लिए आज श्री @ahmedpatel, श्री @kcvenugopalmp, श्री @ajaymaken के रूप में तीन सदस्यीय कमेटी नियुक्त करने के लिए कांग्रेस नेतृत्व का आभार। मुझे पूर्ण विश्वास है कि कमेटी के मार्गदर्शन में राजस्थान में संगठन को एक नई दशा और दिशा मिलेगी।
CM અશોક ગેહલોતે પણ અજય માકનની નિમણૂકને લઈને અભિનંદન પાઠવ્યા હતા અને હાઈકમાન્ડના નિર્ણયને આવકાર્યો હતો. જ્યારે તેમણે બીજી બાજુ અવિનાશ પાંડેના કામગીરીની પણ સરાહના કરી હતી અને તેમના ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવી હતી.
I congratulate Shri Maken and hope that his vast organisational experience will help strengthen the party and energise the party workers in the state. Eagerly looking forward to working with him.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજસ્થાન કોંગ્રેસમાં વિખવાદ ઊભો થયો હતો. સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવ્યું હતું. જે બાદ 19 ધારાસભ્યોએ સચિન પાયલોટના સમર્થનમાં કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. લગભગ એક મહિના સુધી રાજસ્થાનમાં રાજકીય લડત ચાલી હતી અને અંતે, પાયલોટ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતાં. ત્યાર બાદ ફરીથી પાયલટનું કોંગ્રેસમાં 'સેફ લૅન્ડિંગ' થયું હતું.