નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં જાહેર કર્યું છે કે એરલાઈન્સ કંપનીઓ હવે પેસેન્જર્સની કેપેસિટી 72.5થી વધારીને 85 ટકા સુધીની કરી શકશે.
હવાઈ મુસાફરી કરનારા આનંદો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કર્યા નવા આદેશ
પેસેન્જર્સની કેપેસિટી 72.5થી વધારીને 85 ટકા સુધીની કરી
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારાને જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે કહ્યું કે એરલાઈન્સ કંપનીઓ માટે પેસેન્જર્સની કેપેસિટી 72.5થી વધારીને 85 ટકા કરી દેવામાં આવી છે. ગયા વર્ષે મે 2020માં સરકારે કોરોનાના પ્રસારના જોખમને ઘટાડવા માટે ડોમેસ્ટિક એરલાઈન્સની ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. પછી તેને વધારીને 45 ટકા કરી અને હવે તે 85 ટકા સુધી કરી દેવામાં આવી છે.
શું કહેવાયું છે મંત્રાલયના નવા આદેશમાં
મંત્રાલયે શનિવારે એક આદેશ જાહેર કર્યો છે જેમાં તેઓએ 12 ઓગસ્ટને લઈને કહ્યું કે 72.5 ટકા યાત્રી ક્ષમતાને 85 ટકાના રૂપમાં વાંચવામાં આવે. શનિવારે એક આદેશમાં એમ પણ કહેવાયું છે કે આ સૂચના આવનારા આદેશ સુધી લાગૂ રહેશે. સરકારે 2 મહિનાના અંતરાલ બાદ 25મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સાથે આ સેવા શરૂ કરી હતી, તે સમયે મંત્રાલયે વિમાન કંપનીને ઘરેલૂ સેવાના 33 ટકાથી વધુના સંચાલનને પરમિશન આપી ન હતી. ડિસેમ્બર સુધી તેને વધારીને 80 ટકા કરાઈ અને હવે ફરી વધારા સાથે 85 ટકા કરાઈ છે.
ડોમેસ્ટિક એરલાઈન્સ કંપનીને સરકારથી મળી રાહત
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહિનામાં ફક્ત 15 દિવસને માટે તેને લાગુ કરીને બેંડ નિયમ અને ભાડાને પણ બદલ્યા છે. જે ફ્લાઈટ ટિકિટની કિંમતમાં વધારો કરી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે હાલમાં 20 સપ્ટેમ્બર છે તો ભાડુ 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આ માટે તમે 20 સપ્ટેમ્બરને 4 ઓક્ટોબરથી આગળની તારીખ માટે ફ્લાઈટ બુક કરી રહ્યા છો તો તમારે ભાડા બેન્ડ લાગુ રહેશે નહીં. આ રીતે બુકિંગ 21 સપ્ટેમ્બરનું છે તો ફેયર બેન્ડ ફક્ત 15 દિવસ એટલે કે 5 ઓક્ટોબર સુધી લાગૂ રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્ષ 2020માં ફ્લાઈટના રેટની અપર અને લોઅર લિમિટ નક્કી કરી હતી. આ સમયે ડોમેસ્ટિક ફ્લાઈટ્સને લઈને લોકડાઉનના સમયે નિલંબિત થયા બાદ સીમિત રીતે ફરી શરૂ કરવામા આવી હતી. હાલમાં મંત્રાલયે લિમિટને સંશોધિત કરી છે અને અપર અને લોઅર બંનેમાં વધારો કર્યો છે.