આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો જોવા મળ્યો છે. શામળાજી સહિત જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે. સુસવાટા સાથે ઠંડા પવનો ફુંકાતા નગરજનો હવે તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો બાગ બગીચામાં કસરત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે રાજ્યના નલિયા અને પાટણમાં ઠંડીનો પારો ગગડ્યો છે ત્યારે આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી અચાનક પલટો આવતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે આવેલ પલટો અને શામળાજી સહીત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હોવાથી માવઠું થવાની ભીતિ સ્થાનિક ખેડૂતોમાં જોવા મળી છે. એક તરફ પાણીનો પ્રશ્ન અને બીજી તરફ કમોસમી માવઠું થવાની ભીતિથી પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતામાં વધારો કર્યો છે.