ABVP-NSUI ઘર્ષણ મામલો / ગાંધીના ગુજરાતમાં AVBP ખુલ્લે આમ ધમકી આપે છેઃ હાર્દિક પટેલ

અમદાવાદના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પર ઘર્ષણ સર્જાયુ હતુ.. આ ઘટનામાં NSUIના કાર્યકરોને ઈજા થઈ છે.. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી આપે છે. પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરોએ હુમલો કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ અને NSUI હમેશા શિક્ષણની વાત કરે છે. આજે NSUIના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયો હતો. જેમાં નિખીલ સવાણી સહિતના નેતાઓને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે હાર્દિક પટેલ ઈજાગ્રસ્ત નેતાઓને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ