લદ્દાખના સિયાચીનમાં હિમસ્ખલન થવાથી સેનાના આઠ જવાન બરફમાં નીચે દબાઇ ગયા હતા. જ્યારબાદ સેનાએ જવાનોને બચાવવા માટે બચાવવા માટે બચાવ કામગીરી હાથધરી હતી. ત્યારે હવે મળતી માહિતી અનુસાર સિયાચીનમાં હિમસ્ખલન દુર્ઘટનાએ જવાનોનો ભોગ લીધો છે. 4 જવાન શહીદ થયા છે, જ્યારે 2 સિવિલયન પોર્ટરના મોત થયા છે.
સિયાચીનમાં બરફના તોફાનમાં ભારતીય સેનાની પોસ્ટ આવી ઝપેટમાં
આઠ જવાનો પેટ્રોલિંગ પાર્ટી નિરીક્ષણ માટે નિકળી હતી
4 જવાન શહીદ, 2 સિવિલયન પોર્ટરના મોત
સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ બરફનું તોફાન બપોરે 3:30 કલાકે ત્યારે આવ્યું જ્યારે આઠ જવાનો પેટ્રોલિંગ પાર્ટી નિરીક્ષણ માટે નિકળી હતી. હિમસ્ખલન ઉત્તર ગ્લેશિયરમાં થયું છે જ્યાં ઉંચાઇ અંદાજિત 18 હજાર ફૂટથી વધુ છે.
Indian Army: All 8 personnel were pulled out of avalanche debris. 7 individuals who were critically injured, accompanied by medical teams were evacuated by helicopters to nearest Military Hospital. 6 casualties; 4 soldiers&2 civilian porters, succumbed to extreme hypothermia. https://t.co/804CNyS720
સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ પેટ્રોલિંગ પાર્ટીમાં આઠ જવાન સામેલ હતા. જેમની શોધખોળ માટે ઝડપથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે મળતી માહિતી અનુસાર, સિયાચીનમાં હિમસ્ખલન દુર્ઘટનાએ જવાનોનો ભોગ લીધો છે. 4 જવાન શહીદ થયા છે, જ્યારે 2 સિવિલયન પોર્ટરના મોત થયા છે.
દુનિયાના સૌથી ઉંચા અને ઠંડા રણક્ષેત્ર સિયાચીનમાં ભારત અને પાકિસ્તાને વર્ષ 1984થી અત્યાર સુધી યુદ્ધથી ખરાબ હવામાનને લઇને જવાનો ખોયા છે.
વર્ષ 2016ના ફેબ્રુઆરીમાં ભારે હિમસ્ખલનને લઇને અંદાજિત 10 જવાન શહીદ થઇ ગયા હતા. લાંસ નાયક હનમનથપ્પા કોપડ અંદાજિત 25 ફુટ બરફની અંદર દબાઇ ગયા હતા અને છ દિવસો સુધી જિવીત રહ્યા બાદ તેમણે દિલ્હીના એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.