સુરતમાં મનપા અને એરપોર્ટ ઓથેરિટીના સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એરપોર્ટ આસપાસ 18 જોખમી બહુમાળી ઈમારતોને NOC આપી દેવાનું કૌભાંડ સામે આવ્યુ છે. એરપોર્ટ પાસે બહુમાલી ઈમારતોને NOC કેવી રીતે મળ્યુ? અને BUC વિના બિલ્ડરે ફ્લેટ ધારકોને કબ્જો કેવી રીતે સોંપી દીધો તે મહત્વના પ્રશ્ન છે.
સુરત એરપોર્ટ પાસે હાઈરાઈઝ પર તવાઈ
સુરત મનપાએ આ સ્કીમમાં NOC આપ્યા છે
AAI 615 મીટર રનવેનો ઉપયોગ કરી શકતુ નથી
સુરતમાં મનપા અને એરપોર્ટ ઓથેરિટીના સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એરપોર્ટ આસપાસ 18 જોખમી બહુમાળી ઈમારતોને NOC આપી દેવાનું કૌભાંડ સામે આવ્યુ છે. એરપોર્ટ પાસે બહુમાલી ઈમારતોને NOC કેવી રીતે મળ્યુ? અને BUC વિના બિલ્ડરે ફ્લેટ ધારકોને કબ્જો કેવી રીતે સોંપી દીધો તે મહત્વના પ્રશ્ન છે.
BUC વિના બિલ્ડરે ફ્લેટ ધારકોને કબ્જો સોંપી દીધો
સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યા છે. વિમાન લેન્ડિંગમાં નડતરરૂપ બિલ્ડીંગને અલ્ટિમેટમ અપાયા છે. BUS વિના પ્રોજેકટમાં વસવાટ કરતા લોકો ઉપર તંત્ર ગુસ્સો ઠાલવી રહ્યુ છે. સાત દિવસમાં મકાન ખાલી કરી દેવાના આદેશ. એરપોર્ટ ઓથોરિટીના સર્વે બાદ BUC નથી આપાયુ. BUC વિના બિલ્ડરે ફ્લેટ ધારકોને કબ્જો સોંપી દીધો છે. મનપા બિલ્ડરોની મનમાનીમાં સાથ આપી રહી છે.
સુરત મનપાએ આ સ્કીમમાં NOC આપ્યા છે
18 ફ્લેટ સ્કીમના NOC અને BUC વર્ષ 2007-2013 દરમિયાન આપવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટિ દ્વારા પણ 2007માં ઈન્સપેક્શન કરવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ તેનું 2017માં ફરીથી ઈન્સપેકશન કરાયુ. ત્યારે આ દસ વર્ષમાં જ સુરત મનપાએ આ સ્કીમમાં NOC આપ્યા છે.
AAI 615 મીટર રનવેનો ઉપયોગ કરી શકતુ નથી
12.38 મીટર ઉંચાઈના નડતરને કારણે AAI 615 મીટર રનવેનો ઉપયોગ કરી શકતુ નથી. જેને કારણે હાલ સુરત એરપોર્ટ ઉપર 2905 મીટર રન વે તૈયાર છે જેમાંથી માત્ર 2290 મીટરના રનવેનો જ ઉપયોગ કરી શકાય છે.
આ અંગે AAI દ્વારા સુરતના સેન્ટ્રલ વિજિન્સ કમિશનર ગેરકાયદે બંધાયેલી બિલ્ડિંગોની તપાસની રજૂઆત કરી છે અને આવી ઈમારતોને NOC કેવી રીતે આપ્યા અને કોણે આપ્યા તે અંગે પણ તપાસની માંગ કરી હતી.