કોરોનાની રસી નિર્માતા સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાના ચેરમેન સાઈરસ પૂનાવાલાએ સોમવારે કહ્યું હતું કે, દુનિયાના ગરીબ દેશ કંપનીની બનાવેલ રસીનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું કારણ રસીના ડોઝ સસ્તા હોવાનું છે
ભારતની મોટી સિદ્ધી
ગરીબ દેશોને સસ્તા ભાવે આપી રહ્યા છીએ રસી
કોરોના સામે લડવામાં સૌથી સક્ષમ હથિયાર રસી
કોરોનાની રસી નિર્માતા સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાના ચેરમેન સાઈરસ પૂનાવાલાએ સોમવારે કહ્યું હતું કે, દુનિયાના ગરીબ દેશને આપણી કંપનીની બનાવેલ રસીનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું કારણ રસીના ડોઝ સસ્તા હોવાનું છે અને તેને એક કપ ચાની કિંમત પર આપીએ છીએ. પૂનાવાલએ ઉદ્યોગ મંડલ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઈંડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજીત કરવામાં આવેલા પુણે આંતરરાષ્ટ્રીય વેપાર શિખર સંમેલનમાં આ વાત કહી હતી.
એક કપ ચાની કિંમતમાં આપી રહ્યા છીએ રસી
આ કાર્યક્રમમાં તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર માટે થઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વની 2/3 વસ્તીને કંપનીએ એક અથવા વધારે રસી લઈ લીધી છે. પૂનાવાલાએ કહ્યું કે, અમારી મોટા ભાગની રસી ગરીબ દેશો ઉપયોગ કરી રહ્યા છે. યુનિસેફ અને અન્ય પરમાર્થ સંગઠન રસી ખરીદવા માટે આગળ આવ્યા છે. અમે અમારા કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોની મદદથી તેને સસ્તી બનાવી છે અને તે એક કપ ચાની કિંમત બરાબર છે.
મનસુખ માંડવીયાએ આપી આ જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સોમવારે કહ્યું હતું કે, 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 1.5 કરોડથી વધારે કિશોરોએ કોવિડની રસી લઈ લીધી છે. માંડવીયાએ ટ્વિટ કરીને કહ્યું કે, યુવા ભારત એક દમ જોશ સાથે આ મહામારીને ટક્કર આપી રહ્યા છે. 15થી 18 વર્ષ સુધીના ઉંમરવાળા દોઢ કરોડથી વધારે કિશોરોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે.