ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને ઘણા લોકોના રોજગાર-નોકરી પર અસર જોવા મળી હતી. જેમાં રીક્ષા ચાલકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોરોનાને લઇને લોકડાઉનમાં ઉભી થયેલી તંગીના કારણે અત્યાર સુધીમાં 3 રીક્ષાચાલકોને જીવન પણ ટૂકાવી દીધું છે. ત્યારે આ અંગે રીક્ષા એસોસિયેશન દ્વારા અલગ-અલગ માગણીઓને લઇ સરકારને રજૂઆત કરવામાં આવી હતી, જો કે હજુ સુધી તેને સ્વીકારવામાં ન આવતા આખરે રીક્ષાચાલકોએ એક દિવસની પ્રતિક હડતાળનું એલાન કર્યું.
અમદાવાદમાં રીક્ષાચાલકોની આજે એક દિવસની પ્રતિક હડતાળ
કોરોના મહામારીમાં રાહત પેકેજ ન મળતા હડતાળ પર
10 જેટલા સંગઠન દ્વારા હડતાળનું કરાયું એલાન
અમદાવાદ શહેરમાં આજે રીક્ષાચાલકો દ્વારા એક દિવસની પ્રતિક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં અંદાજે 2 લાખ રીક્ષાચાલકો જોડાશે. રીક્ષાચાલકોના 10 જેટલા સંગઠન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા કોરોના મહામારીમાં રાહત પેકજ ન મળતા રીક્ષા ચાલકો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. રીક્ષા ચાલકો દ્વારા 15 હજાર જેટલી રોકડ સહાય માટે રીક્ષા ચાલકો મેદાને ઉતર્યાં છે.
રીક્ષાચાલકના 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું જણાવા રીક્ષા યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે આજે આ પ્રતિક હડતાળ કરીશું. જો કે શહેરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ઇમર્જન્સી સેવા રીક્ષા ચાલુ રાખવામાં આવશે. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર જો માંગણી સંતોષવામાં નહી આવે તો આગામી 10મી તારીખે જીએમડીસી ખાતે વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.