વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીએ માત્ર 13 મહિનામાં ચા-નાસ્તા પાછળ અધધ.. 6.50 લાખનો ખર્ચો કરવામાં આવ્યા છે. આમ વડોદરા મહાનગર પાલિકાના શાસકો જનતાના પૈસાનો ખોટો વ્યય કરતાં નજરે ચડી રહ્યા છે.
શાસકોના ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો RTIમાં થયો ખુલાશે
વડોદરા મહાનગર પાલિકના શાસકોના ચા-નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો RTIમાં ખુલાસામાં થયો હતો. મહત્વનું છે કે, આરટીઆઈ એક્ટીવીસ્ટ અતુલ ગામેચી વડોદરા મહાનગ પાલિકામાં આરટીઆઈ કરી સત્તાધીશો ચા-નાસ્તા પાછળ કેટલો ખર્ચ કર્યો છે. તે અંગે જાણકારી માંગી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ ચા-નાસ્તા પાછળ 2,98,313 રૂપિયા ખર્ચો કર્યો
જેમાં જણાવા મળ્યું હતું કે,વડોદરાના મહનગર પાલિકાના મેયર કેયુર રોકડિયાએ છેલ્લા 13 મહિના દરમિયાન ચા-નાસ્તા પાછળ 89,172 રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે ડેપ્યુટી મેયર નંદાબેન જોશીએ 1,30,050 રૂપિયાનો ખર્ચ, તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ 2,98,313 રૂપિયા અને શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયાએ 1,32,019 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
વડોદરા પાલિકાના શાસકોનો જનતાના પૈસે તાગડધિન્ના
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ચા-નાસ્તા પાછળ બિનજરૂરી ખર્ચા કરીને લાખ્ખો રૂપિયા ઉડાવી જનતાના પૈસાનો ખોટો વ્યય કરતાં જોવા મળી રહ્યાં છે.આમ છેલ્લા 13 મહિનામાં પાલિકાના શાસકોના ચા-નાસ્તા જ્યાફ્ત પાછળ રૂપિયા 6.50 લાખ કરતાં વધુ ખર્ચ થયો છે. વડોદરા કોર્પોરેશનના સત્તા જનતા પૈસે તાગડધિન્ના કરતાં જોવા મળી રહ્યાં છે.
Vtv સળગતા સવાલ ?
-જનતાના પૈસાનો માત્ર ખર્ચ જ થશે કે જનતાના કોઇ કામ પણ થશે?
-ક્યાં સુધી જનતાના પૈસાનો ખોટો ખર્ચ થતો રહેશે?
-જનતાના પૈસાનો ખોટો ખર્ચ થશે તો વિકાસના કામ ક્યાંથી થશે?
-ફરિયાદ લઇને જતી જનતાને કેમ ચા-નાસ્તાનું પૂછાતુ નથી?
-જનતાના પૈસાનો આ ખોટો વ્યય ક્યારે અટકશે?