ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝનું અમદાવાદમાં આગમન થયું છે. સાંજે 4.30ની આસપાસ એરપોર્ટ પર તેમનું સ્પેશિયલ વિમાન લેન્ડ થયું હતું.
ઓસ્ટ્રેલિયાના પીએમ આવી પહોંચ્યાં અમદાવાદ
એન્થોની અલ્બેનિઝનું અમદાવાદમાં આગમન
ભૂપેન્દ્ર પટેલ, દેવવ્રત કોહલીએ કર્યું સ્વાગત
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝનું અમદાવાદમાં આગમન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સીએમ અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Ahmedabad, Gujarat : Australian Prime Minister Anthony Albanese visited Sabarmati Ashram and paid tribute to Mahatma Gandhi pic.twitter.com/rkTxbW9m16
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 8, 2023
સ્પેશિયલ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યાં
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમના સ્પેશિયલ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યાં છે. એરપોર્ટ પર ઉતરતાં જ તેમના સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત કોહલી ઊભા હતા. સીએમ પટેલે પુષ્પગૂચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.
સાંજના 5 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાતે
પીએમ એન્થોની અલ્બેનિઝ સાંજના 5 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાતે જશે ત્યાર બાદ બીજા ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે.
#WATCH | Gujarat: Australian Prime Minister Anthony Albanese arrives in Ahmedabad on a State visit to India. pic.twitter.com/7z9zJSwneM
9મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈને અમદાવાદ શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ બહાર બંને દેશના ટીશર્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ટીશર્ટનું પણ વેચાણ વધારે થઈ રહ્યું છે.
અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી
તો બીજી તરફ PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 9 માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે. જેને લઇને અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી છે. PM મોદી આજથી 2 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. આજે રાતે 9 વાગ્યે PM મોદી અમદાવાદ આવશે. PM મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. ત્યાર બાદ આવતીકાલે સવારે 8 વાગ્યે રાજભવનથી જવા રવાના થશે. આવતીકાલે સવારે 8:30એ PM મોદી નમો સ્ટેડિયમ પહોંચશે. જ્યાં PM મોદી બોર્ડ ગાવસ્કર ટેસ્ટ મેચની શરૂઆત કરાવશે. અહીં તેઓ ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે. સવારે 10 વાગ્યે નમો સ્ટેડિયમથી મોદી રાજભવન જવા રવાના થશે. રાજભવન ખાતે ગુરૂવારે સવારે 10.30થી 2.30 વાગ્યાનો સમય રિઝર્વ રહેશે. ત્યાર બાદ આવતીકાલે સાંજના 5 વાગ્યે PM મોદી દિલ્હી જવા રવાના થશે.
Australian Prime Minister Anthony Albanese visits Sabarmati Ashram in Ahmedabad after arriving on his India visit