પાકિસ્તાનમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ઉસ્માન ખ્વાજાએ કહ્યું છે કે પૈસા બોલે છે અને વિશ્વની કોઈ પણ ટીમ ભારત પ્રવાસ જવાની ના પાડી શકશે નહીં. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરવો ખેલાડીઓ અને સંગઠનો માટે સરળ છે.
ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ઉસ્માન ખ્વાજાના નિવેદનથી ખળભળાટ
બધો રૂપિયાનો ખેલ છે, વિશ્વની કોઈ ટીમ ભારત પ્રવાસ માટે ના પાડી શકશે નહીં
પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરવો ખેલાડીઓ માટે સરળ
પાકિસ્તાન પ્રવાસ કરવાની ના પાડવી સરળ: ઉસ્માન ખ્વાજા
મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે સુરક્ષાનું કારણ આગળ ધરીને પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરીથી શરૂ કરવાના પાકિસ્તાનના પ્રયાસોને આકરો ઝાટકો લાગ્યો છે. ખ્વાજાએ ધ ઓસ્ટ્રેલિયન એસોસિએટ પ્રેસની વાતચીતમાં કહ્યું, મને લાગે છે કે ખેલાડીઓ અને સંગઠનો માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડવી સરળ છે. કારણકે તે પાકિસ્તાન છે. બાંગ્લાદેશના મામલામાં પણ એવુ કહી શકાય છે. પરંતુ જો સમાન સ્થિતિ હોત તો પણ ભારતને કોઈએ ના પાડી ના હોત.
પાકિસ્તાનમાં ક્રિકેટ રમવુ સુરક્ષિત: ખ્વાજા
તેમણે વધુમાં કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે પૈસો બોલે છે અને આ સૌથી મોટું કારણ છે. પાકિસ્તાન અવાર-નવાર સાબિત કરતુ આવ્યું છે કે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવુ સુરક્ષિત છે. મને લાગે છે કે પાકિસ્તાનમાં જઇ ક્રિકેટ રમવાની ના પાડવી એ કોઈ યથાર્થ કારણ નથી.
પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાથી અમને કોઈ મુશ્કેલી નથી: ખ્વાજા
ઓસ્ટ્રેલિયન ટીમને આવતા વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે અને ખ્વાજાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમને પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમવાથી કોઈ મુશ્કેલી નથી. તેમણે કહ્યું, પાકિસ્તાનમાં પૂરતી સુરક્ષા છે. મેં એવુ સાંભળ્યું છે કે લોકો સુરક્ષિત છે. પીએસએલ રમતા ખેલાડીઓ પણ આ વાત દોહરાવી છે.