ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝનું ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી શુભેચ્છા પાઠવી
ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત મુલાકાતે
ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો
ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી શુભેચ્છા પાઠવી
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતની મુલાકાતે છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમના સ્પેશિયલ વિમાન મારફતે અમદાવાદ આવ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. સીએમ પટેલે પુષ્પગૂચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના PM રાજભવન ખાતે ધૂળેટીની ઉજવણી કરી
ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ધુળેટીની સાંજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી રાજભવન પધાર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ગુલાલથી તિલક કરીને પુષ્પગુચ્છથી સ્વાગત-અભિવાદન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, ભારતમાં વર્ષમાં લગભગ દરેક મહિનામાં તહેવારોની ઉજવણી થાય છે. લોકો ઉલ્લાસપૂર્વક તહેવારો ઉજવે છે, જેનાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ વધે છે. હોળીને 'નવ ષષ્ટી'નું પર્વ પણ કહેવાય છે, આ મોસમમાં ખેડૂતોના ઘરમાં નવા અન્નનું આગમન થાય છે. ભારતનો ખેડૂત આ મોસમમાં વધુ પ્રસન્ન હોય છે. સામાન્ય જનસમુદાયની ખુશી અને આનંદ રંગોત્સવ બનીને છલકે છે.
Live: ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે એજ્યુકેશન સેક્ટરનો કાર્યક્રમ https://t.co/k3pXQeONY2
ફૂલો વરસાવ્યા
ભારતના આ પરંપરાગત હોળી લોકનૃત્યોની પ્રસ્તુતિથી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય એન્થની અલ્બનીઝ એમપી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના મોબાઈલ ફોનથી કલાકારોના ફોટોગ્રાફ્સ લીધા હતા. ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર શ્રીયુત બેરી રૉબર્ટ ઑ'ફૅરેલ એઓ તેમની સાથે રહ્યા હતા. લોકનૃત્યોના અંતે બંને મહાનુભાવોએ એકબીજા પર ફૂલો વરસાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપીએ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળના સભ્યો પર પણ ફૂલો વરસાવ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર પણ ફૂલો વરસાવ્યા હતા. મંત્રીમંડળના સભ્યોએ પણ મહાનુભાવો પર ફૂલો વરસાવીને રંગ પર્વનો આનંદ માણ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 8, 2023
ઓસ્ટ્રેલિયાના PMએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએન્થોની અલ્બનીઝએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજી અને ચરખા વિશે માહિતી મેળવી હતી. સાબરમતી ટ્રસ્ટના અધ્યક્ષ કાર્તિકેય સારાભાઈએ તેમને આશ્રમ અને ગાંધીજી વિશે જાણકારી આપી હતી. કાર્તિકેય સારાભાઈએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ જણાવ્યુ હતુ કે, ચરખો જોઈને તેમને કુતૂહલ થયુ હતુ. કારણ કે પહેલા તેમણે ચરખો ચાલતા જોયો ન હતો. તેમજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આશ્રમમાં ખુલ્લા પગે ફર્યા હતા. મુલાકાત સમયે તેમને મીઠા સત્યાગ્રહની પુસ્તક અને ચરખાની ભેટ આપવામાં આવી હતી.
આવતીકાલે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ
9મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈને અમદાવાદ શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ બહાર બંને દેશના ટીશર્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ટીશર્ટનું પણ વેચાણ વધારે થઈ રહ્યું છે.
અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી
તો બીજી તરફ PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 9 માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે. જેને લઇને અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી છે. PM મોદી આજથી 2 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. આજે રાતે 9 વાગ્યે PM મોદી અમદાવાદ આવશે. PM મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. ત્યાર બાદ આવતીકાલે સવારે 8 વાગ્યે રાજભવનથી જવા રવાના થશે. આવતીકાલે સવારે 8:30એ PM મોદી નમો સ્ટેડિયમ પહોંચશે. જ્યાં PM મોદી બોર્ડ ગાવસ્કર ટેસ્ટ મેચની શરૂઆત કરાવશે. અહીં તેઓ ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે. સવારે 10 વાગ્યે નમો સ્ટેડિયમથી મોદી રાજભવન જવા રવાના થશે. રાજભવન ખાતે ગુરૂવારે સવારે 10.30થી 2.30 વાગ્યાનો સમય રિઝર્વ રહેશે. ત્યાર બાદ આવતીકાલે સાંજના 5 વાગ્યે PM મોદી દિલ્હી જવા રવાના થશે.