લાંબા સમય બાદ હવે ખેલજગતમાં મેચ થઇ રહી છે અને એવામાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જોકે ભારતની શરૂઆત સારી રહી નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ
સિરીઝની પહેલી જ મેચ હાર્યું ભારત
વિરાટ કોહલીએ હાર બાદ આપ્યું મોટું નિવેદન, ફિલ્ડર અને બોલર્સને સંભળાવી
કાંગારુંઓ સામે વિરાટ સેના ધ્વસ્ત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ પહેલી વનડે મેચમાં ભારતે નિરાશાજનક પ્રદર્શન કર્યું અને 66 રનથી વિરાટ બ્રિગેડ હારી ગઈ. આ મેચમાં ભારતની બોલિંગ ખૂબ ફ્લોપ સાબિત થઇ છે અને બોલર્સે સામેની ટીમને પાણીની જેમ રન આપ્યા. ભારતના ફિલ્ડરોએ કેચ છોડ્યા અને ગ્રાઉન્ડ ફિલ્ડીંગ ખરાબ રહી. એવામાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી અને 374 રનનો મસમોટો લક્ષ્ય ભારતની વિરાટ સેના સામે મુક્યો. ભારત સામે ઓસ્ટ્રેલિયાનો આ સર્વોચ્ચ સ્કોર છે.
હાર બાદ કોહલી 'કરમાયા'
મેચ બાદ ટીમના કેપ્ટન વિરાટ ફિલ્ડર અને બોલર્સ પર ખૂબ લાલચોળ થયા, તેમણે કહ્યું કે અમને તૈયારી કરવાનો પૂરો સમય મળ્યો. મેં નથી લાગતું કે જ્યારે તમે એક ટીમના રૂપમાં રમી શકતા નથી ત્યારે તમારી પાસે કોઈ જ બહાનું હોય છે. અમે અત્યાર સુધી ટી 20 રમી રહ્યા હતા અને લાંબા સમય બાદ વનડે રમી છે.
ફિલ્ડર્સ અને બોલર્સને સંભળાવી
કેપ્ટન વિરાટે કહ્યું કે 20-25 ઓવરોમાં અમારી જે બોડી લેન્ગવેજ હતી એ નિરાશાજનક હતી.જો તમે ફિલ્ડીંગમાં સતત ભૂલો કરતા જ રહેશો તો એક શીર્ષ ટીમ તમને નુકસાન પહોંચાડશે જ. બેટ્સમેનને પરેશાન કરવા માટે સૌથી વધારે જરૂરી છે સતત વિકેટ લેતા રહેવું પણ અમે એવું કરી જ શક્યા.
પાર્ટટાઈમ બોલર્સ પર આપ્યું મોટું નિવેદન
કોહલીએ કહ્યું કે અમારે પાર્ટ ટાઈમ બોલર્સથી કામ લેવાની રીત શોધવી પડશે. દુર્ભાગ્યવશ હાર્દિક પંડ્યા બોલિંગ માટે તૈયાર નથી, અમારે આ વાત સ્વીકારવી પડશે અને કામ કરવું પડશે. અમારે આ એરિયામાં ધ્યાન આપવું જ પડશે કારણ કે ટીમનું સંતુલન મોટી વાત છે. માર્કસ સ્ટોઈનીસ અને મેકસવેલ ઓસ્ટ્રેલિયા માટે આ જ કામ કરે છે.