ગુજરાતના 550 વર્ષ જૂના ગણપતિ દાદાના આ મંદિરને તોડી પાડવા માટે ઔરંગઝેબે બે વાર સેના મોકલી હતી પણ ભાગવું પડ્યું હતું
ગુજરાતનાં સિસોદ્રાના ગણપતિ મંદિર સામે ઔરંગઝેબનું નહોતું ચાલ્યું
ગણપતિ દાદાના મંદિરને તોડી પાડવા માટે ઔરંગઝેબે બે વાર સેના મોકલી
ભમરાઓ સૈનિકોને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી
"વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા" ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું નવસારીના ઐતિહાસિક એવા ચમત્કારી ગણપતિબાપા નવસારીના ગણેશવડ સિસોદ્રા ગામે આવેલા છે કે જ્યા ઔરંગઝેબે પણ ઝૂકવું પડ્યું હતું.
સમાધિસ્થ અવસ્થામાં બેસેલ સાધકના શરીરમાં આવેલ મૂલાધારચક્રને જાગૃત થાય ત્યારે પ્રથમ પૂજ્ય ગણપતિબાપાને પ્રસન્ન કર્યા બરાબર ગણી શકાય તેવીજ રીતે સંસારિકજીવનમાં પણ કાર્યની શરૂઆતમાં શ્રીજીના પૂજન થી કરવામાં આવે છે. નવસારીને અડીને આવેલ નેશનલ હાઇવે-૮ ના ગણેશવડ સિસોદ્રા ગામે ૫૫૦ વર્ષ જુનું મંદિરનો આવેલું છે અને આં મંદિરનો એક અનોખો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.
ઔરંગઝેબે હાર માનવી પડી
મુસ્લિમ સલ્તનતના રાજા ઔરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું. પરંતુ ચમત્કારિક મંદિરમાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકોને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા. જે ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યા છે. અન્ગારિકા ચોથના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સ્થાનિકોના મતે એક જમાનામાં જંગલનો વિસ્તાર ગણાતો આ વિસ્તાર વડલાઓથી શોભતો હતો અનેક વડો અહી હતા. જે શ્રીજી માટે મનગમતી જગ્યા બની જતા વડલામાં બાપાએ રેહઠાણ બનાવ્યું હતું. ઔરંગઝેબના આક્રમણ બાદ મંદિરમાં શ્રધ્ધાળુઓની આસ્થા વધી જતા ગણપતિદાદા મનોવાંછિત ફળ આપનારા સાબિત થતા ગયા. જેને કારણે મહારાષ્ટ્રના ભક્તોની સંખ્યાઓ વધી ગઈ છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસે અહીં ગણેશ ભક્તોને લાડુનો પ્રસાદ આપવામાં આવે છે.
ભક્તોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો
ઐતિહાસિક મહત્વ ધરાવતા નવસારી જીલ્લાના ગણેશવડ સિસોદ્રા ગામે ભક્તોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો આવ્યો છે અંગારીકા ચતુર્દષ્ટિ, ગણપતિ ચોથના દિવસે લાખો ભક્તો દસ દિવસ દરમ્યાન ગણપતિદાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દક્ષિણ ગુજરાતના આસ્થાનું આ 550 વર્ષ જૂનું ગણેશ મંદિરનો મહિમા અપરંપાર છે.