યૂપીના હરદોઈનું સુનાસીર નાથ મંદિર સેંકડો વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ શિવનું બીજું નામ સુનાસીરનાથ છે. અહીં ઔરંગઝેબે આરીથી હુમલો કર્યો હતો.
હરદોઈનું સુનાસીર નાથ મંદિર સેંકડો વર્ષોથી આસ્થાનું કેન્દ્ર
આ શિવનું બીજું નામ સુનાસીરનાથ છે
ઔરંગઝેબે આરીથી શિવલિંગ પર હુમલો કર્યો હતો
યૂપીના હરદોઈમાં આવેવા મલ્લાવાંનું સુનાસીરનાથ મંદિર છે. માનવામાં આવે છે કે અહીં સ્થાપિત શિવલિંગની સ્થાપના સતયુગમાં દેવરાજ ઈન્દ્રએ કરી હતી. આમ તો આખું વર્ષ અહીં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. પણ શ્રાવણમાં દેશ વિદેશથી લોકો આવે છે. પૂર્વમાં આ મંદિરમાં સોનાના કળશ, દરવાજા અને જમીન પર ગિન્નીઓ જડેલી રહેતી. 16મી સદીમાં મુઘલ બાદશાહે ઔરંગઝેબે આ મંદિરને લૂટી લીધું અને શિવલિંગ પર પણ આરી ચલાવીને તેને કાપવાની કોશિશ કરી પણ સફળતા મળી નહીં. તેની બર્બરતાના સબૂત આજે પણ જોવા મળે છે.
મલ્લાવાં કસ્બાથી 3 કિમીના અંતરે આ મંદિરના વિષયમાં પૂજારી રામ ગોવિંદ મિશ્ર કહે છે કે આ શિવલિંગની સ્થાપના ઈંદ્ર દેવે કરી હતી. 16મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબે મંદિરમાં જડિત સોનું લૂટ્યું અને શિવલિંગ પર પણ આક્રમણ કર્યું હતું.
ગૌરાખેડાના શૂરવીરોએ કર્યો સામનો
ઔરંગઝેબની સેનાની જાણ થતા ગૌરાખેડાના લોકો ફોજની સામે ચટ્ટાનની જેમ ઊભા રહ્યો. અનેક સૈનિકો માર્યા ગયા. મુઘલ બાગશાહ પર ભારે ફોજની આગળ ગોરખેડાના શૂરવીરો વધારે સમય ટકી શક્યા નહીં અને હારનો સામનો કરવો પડ્યો. મુઘલ સેનાને મઢિયાના ગોસ્વામીઓએ પણ ચેલેન્જ આપી અને તેઓએ પણ હાર મેળવી.
મંદિરનું સોનું લૂંટી લીધું
મુઘલ બાદશાહના સૈનિકો મંદિરની અંદર પહોંચીને મંદિરને લૂટવા લાગ્યા. મંદિરના સોનાના કળશ, ફર્શમાં લાગેલી સોનાની ગિન્નીઓ અને સોનાના ઘંટ અને દરવાજા બધુ લૂંટી લીધં. મંદિરને ધ્વંસ્ત કરવાનો આદેશ આપ્યો. સૈનિકોએ મંદિરને જમીન દોસ્ત કર્યું અને શિવલિંગને પણ ખોદવા લાગ્યા. એમાં સફળ ન થયા તો આરીથી કાપવાની કોશિશ પણ કરી.
શિવલિંગમાંથી નીકળી બર્રૈયોએ કર્યો હુમલો
ઔરંગઝેબે શિવલિંગ પર આરી ચલાવી તો પહેલા શિવલિંગથી દૂધની ધારા બહાર આવી અને અસંખ્ય બર્રૈયા અને તતૈયા આવી. તેઓએ ફોજ પર હુમલો કર્યો અને સૈનિકો ભાગી ગયા. તેઓએ શુક્લાપુર સુધી ગામનો પીછો કર્યો, ત્યારે સેનિકોના પ્રાણ બચ્યા. શિવલિંગ પર આરીના નિશાન આજે પણ જોવા મળે છે.
વિદેશો સુધી ફેલાયેલી છે મંદિરની ખ્યાતિ
આ મંદિરની ખાસિયત વિદેશો સુધીની છે. અહીં દેશના અનેક ખૂણેથી ભક્તો આવે છે. વિદેશથી પણ આ મંદિરમાં દર્શન અને મન્નત માંગવા લોકો આવતા રહે છે. શ્રાવણમાં આ મંદિરમાં ભક્તોની સંખ્યા વધી જાય છે. ભગવાનને જળાભિષેક કરીને ભક્તો પૂજા કરે છે. અહીં સાચા મનથી કરાયેલી મન્નત પૂરી થાય છે. આ શ્રાવણમાં આ મંદિર બંધ રહેશે.