મહારાષ્ટ્રમાં ઝડપથી કોરોના સંક્રમણના મામલાના કારણે હવે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
મંદિરમાં કોઈ પણ પ્રકારના ઓફલાઈન દર્શનની મંજૂરી નહી અપાય
સિદ્ધિવિનાયક મંદિરને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું
મુંબઈમાં 24 કલાકમાં 1167 કેસ સામે આવ્યા
મંદિરમાં કોઈ પણ પ્રકારના ઓફલાઈન દર્શનની મંજૂરી નહી અપાય
શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ અનુસાર ભક્તો માટે આ પ્રતિબંધ 2 માર્ચ સુધી થનારા ગણેશ અંગારકી ચતુર્થીના દિવસે રહેશે. 2 માર્ચે મંદિરમાં કોઈ પણ પ્રકારના ઓફલાઈન દર્શનની મંજૂરી નહી આપવામાં આવે. ગણેશ અંગારકી ચતુર્થીના દિવસે ફક્ત પહેલાથી જારી થયેવા ક્યૂઆર કોડના માધ્યમથી સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી દર્શનની પરવાનગી રહેશે.
મુંબઈમાં 24 કલાકમાં 1167 કેસ સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોના વાયરસના નવા કેસના મામલામાં ફરી એકવાર તેજી આવી છે. 24 કલાકમાં 1167 કેસ સામે આવ્યા છે. આ જાણકારી મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 8807 મામલા સામે આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્ય અને મુંબઈમાં ગત 2 દિવસોમાં નવા મામલાની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે મુંબઈમાં 643 તો સમગ્ર રાજ્યમાં 6218 મામલા સામે આવ્યા હતા.
લોકડાઉનની જાહેરાત કરી દીધી છે
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં રાજ્ય સરકારે વધતા મામલાને ધ્યાનમાં રાખી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારમાં મંત્રી નિતિન રાઉતે સોમવારે કહ્યુ હતું કે નાગપુરમાં કોવિડ-19ના વધતા મામલાના કારણે 7 માર્ચ સુધી જિલ્લામાં કડક પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.
Mumbai: Shree Siddhivinayak Ganapati Temple Trust lays down restrictions on 'darshan' on Ganesh Angaraki Chaturthi on 2nd March, in the wake of rising COVID cases. No offline darshan allowed that day. Darshan allowed only on pre-issued QR codes, darshan only b/w 8am-9pm that day.
જિલ્લાના પ્રભારી મંત્રી રાઉતે સમીક્ષા બેઠક બાદ જણાવ્યુ હતુ કે મંગળવારે 7 માર્ચ સુધી જિલ્લાની તમામ સ્કૂલો, કોલેજો, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. જ્યારે પ્રમુખ બજારો આ સમયમાં શનિવારે તથા રવિવારે નહીં ખુલે. તેમણે જણાવ્યું કે રાજનીતિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પરવાનગી નહી આપી શકાય.
અહીં 190 વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળતા હડકંપ મચ્યો
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બુધવારે 318 નવા દર્દીઓ મળ્યા છે. ખાસ વાત એ છે કે આ જિલ્લામાં રિસોડ તાલુકાના દેગાંવ સ્થિત એક સ્કુલની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળતા હડકંપ મચ્યો છે.
મહારાષ્ટ્રની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બુધવારે 8807 લોકો કોરોના ગ્રસ્ત જોવા મળ્યા છે. 2772 દર્દીઓ સાજા થયા અને 80 ના મોત થયા. આ 18 ઓક્ટોબર પછી સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધી 9060 દર્દીઓની ઓળખ થઈ ચૂકી છે. અત્યાર સુધી 21.21 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 20. 08 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 51, 937 ના મોત થયા છે.