મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની મહામારીના વધતા કેસના મામલામાં રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં આજે 75 દિવસ બાદ સંક્રમણના સૌથી વધારે નવા કેસ આવ્યા છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારે આજે અમરાવતી અને યવતમાલમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યારે બીએમસીએ નવી ગાઈડ લાઈન જારી કરી છે. જેમાં બ્રાઝિલથી પાછા ફરનારા લોકોને ફરજિયાત રુપે ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને વેડિંગ હોલ, ક્લબ તથા રેસ્ટોરન્ટની નિયમિત તપાસનો સમાવેશ કરાયો છે.
મહામારીથી 51, 669 લોકોના જીવ ગયા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોવિડ 19ના 5427 નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યાં 20, 81, 520 થઈ ગઈ છે. ત્યારે મહામારીથી આજે 38 દર્દીઓના જીવ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ મહામારીથી 51, 669 લોકોના જીવ ગયા છે.
બીએમસીએ જારી કરી નવી ગાઈડલાઈન
કોરોનાની મહામારીના વધતા મામલાને જોતા બીએમસીએ નવી ગાઈડલાઈન જારી કરી છે. જે અનુસાર જો કોઈ ભવનમાં 5 અથવા તેનાથી વધારે કોરોનાના દર્દીઓ જોવા મળ્યા તો તે ભવનને સીલ કરી દેવામાં આવશે. સાથે વેડિંગ હોલ, ક્લબ અને રેસ્ટોરન્ટ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે કે નહી તેની તપાસ કરી રેડ અભિયાન ચાલું કરવામાં આવશે. કોરોનાના નવા સ્ટ્રેનને જોતા બ્રાઝિલથી પાછા ફરનારા લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડશે. તે ક્ષેત્રોમાં કોવિડ 19 ટેસ્ટની ક્ષમતા વધારવામાં આવશે. જ્યા પોઝિટિવ કેસ વધારે આવવા લાગ્યા છે.
અમરાવતી અને યવતમાલમાં વીકેન્ડ લોકડાઉન
અમરાવતીમાં કોવિડ 19ના મામલમાં વુદ્ધિને ધ્યાનમાં રાખી ગુરુવારે જિલ્લા પ્રશાસનના સપ્તાહમાં લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. લોકડાઉન શનિવારની રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે અને આ દરમિયાન બજાર અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે. જો કે જરુરી સેવાઓને અસર નહીં પડે. જિલ્લાધિકારી શૈલેશ નવલે કહ્યું કે અઠવાડીયા પછી બાકી દિવસ હોટેલ અને રેસ્ટોરા સહિતની તમામ પ્રતિષ્ઠાન રાતના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પહેલા આ રાત 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા.
તેમણે કહ્યું તે કોવિડ -19મામલામાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને મે જિલ્લામાં અઠવાડિયાના અંતમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હું લોકોને અપીલ કરુ છું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કડક લોકડાઉનથી બચવા માટે કોવિડ સંબંધી યોગ્ય વર્તનનું પાલન કરો. તેમણે કહ્યું કે સપ્તાહાંતમાં લોકડાઉન દરમિયાન તમામ બજારો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે. તેમણે કહ્યું કે સ્વિમિંગ પુલ અને ઈન્ડોર ગેમ પણ બંધ રહેશે. જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 5 લોકોને પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક વાર ફરી કોવિડ મામલામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.